SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ અધ્યાત્મ રાજચંદ્ર દ્રવ્યાનુગથી જે સ્વ–પર વસ્તુને ભેદ જાણે છે, ભેદવિજ્ઞાન પામે છે, તે પરવસ્તુને પરિત્યાગ કરી શુદ્ધ આત્મચારિત્રદશા પામે જ છે. પરમાર્થ સખા સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૫૯૨) શ્રીમદ્દ લખે છે – જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષે ધન્ય છે. બીજાની વસ્તુ પિતાથી ગૃહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુ કરે છે. ૪૪ વિરલા જ સમ્યગદષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. ૪૪ વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રોકાણ છે.” આમ આત્મચારિત્રદશાના અનન્ય આત્મપુરુષાર્થમાં પ્રવર્તમાન શ્રીમદ્દને પ્રવર્ધમાન ભાવસંયમ તે પૂરેપૂરે છે જ, એટલું જ નહિ પણ દ્રવ્યસંયમ પણ પૂરે. પૂરે છે જ, અને બાહ્ય ત્યાગરૂપ સંયમ પણ પૂરેપૂરે ઈચ્છે છે જ. એટલે જ આ પરમાર્થ સંયમ અને વ્યવહાર સંયમ બન્નેની પૂરેપૂરી ઉપયોગિતાઉપકારિતા મુક્તકઠે સ્વીકારી શ્રીમદે તેમજ કરવા ધાર્યું છે : લલ્લુછ મુનિ પરના પત્રમાં (અં. ૬પ૩) શ્રીમદ લખે છે–આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. સહજાત્મસ્વરૂપ.” સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૬૬૪) લખે છે –“સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના પ્રહણને વ્યવહારસંયમ કહ્યો છે. કેઈ જ્ઞાની પુરુષોએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાલક્ષ વગર)એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમને, તેને અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થ સંયમની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે.” “જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે” (સં. ૬૭૦). શ્રીમદ્દ એ જ ઝંખે છે, એટલે જ શ્રીમને નિરંતર તે જ દ્રવ્ય-ભાવસંયમની કેવી અનંતગુણવિશિષ્ટ તમન્ના છે તે લલુછ મુનિ પરના પત્રમાં જણાવી છે–“પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વત્ય કરે છે તે સત્પના સમાગમનું ધ્યાન નિરંતર છે. પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ઘપણને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. અને એટલે જ શ્રીમદ્ પરમ ભાલ્લાસથી પુરુષના અગાધ ગંભીર સંયમને અને સંયમને પિતાને પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે– સત્યુના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy