SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર દઢ નિશ્ચય આત્મસામર્થ્યના યથાર્થ ભાનથી સર્વથા નિરહંકારપણે અત્રે ઉલ્લેખ્યો છે, આમ કહેવાનું કારણ શું? એમ શા આધારે કહે છે? તેને જાણે ખુલાસે કરતા હાયસ્પષ્ટીકરણ કરતા હોય એમ શ્રીમદ અત્ર કહે છે – કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. –વીતરાગ શ્રીમદને દિવ્ય આત્મા અત્ર વાલેપ દઢ નિશ્ચયથી પોકારે છે કે અમે જે શદ્ધ આત્માનો અનુભવ કરી રહ્યા છીએ તે આ અમારા અનુભવજ્ઞાનનું ફળ વીતરાગપણું છે, તે અમે સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધપણે અનુભવી રહ્યા છીએ, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ–વીતરાગ પરિણામનું જ કારણ લાગે છે, અર્થાત વીતરાગનું શ્રતજ્ઞાન પણ તે વીતરાગપણું પ્રગટાવવા અર્થે જ છે; એટલે વીતરાગના ઉપદેશ–માર્ગને અનુસરતા અમે જે સાક્ષાત્ અનુભવથી વીતરાગપણું અનુભવી રહ્યા છીએ તો અમે ખરેખરી રીતે વીતરાગને અનુસરી રહ્યા જ છીએ. એટલે વીતરાગના અનુ–પાછળ પાછળ “યાયી-જનાર અનુસરનાર એવા “અનુયાયી” હોવાથી અમે અનુયાયી શબ્દના ખરેખરા અર્થમાં વીતરાગના ખરેખરા અનુયાયી છીએ, સાચા છીએ. આંધળે પણ દેખી શકે ને બહેરો પણ સાંભળી શકે એવા શ્રીમદ્દના આ અમૃત વચન સર્વ કેઈની સર્વ પ્રકારની ભ્રાંતિ દૂર કરવા પર્યાપ્ત છે. આવા વીતરાગના ખરેખરા અનુયાયી શ્રીમદને પત્રમાં (અં. ૧૭૦) જણાવ્યું છે તેમ-તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે,”— પૂર્ણ વીતરાગપણું પામી મેક્ષની પ્રાપ્તિ કરી તે તીર્થકરને તે પ્રમાણે કરી અનુસરવાની ઈચ્છા છે. તે તેમનો પરમ ઉચ્ચતમ આદર્શ અને પરમાત્તમ આત્મપુરુષાર્થ દાખવે છે. તીર્થકર જેવી પરમ વિભૂતિનું અનુસરણ કરવામાં શ્રીમદ્ પરમ ગૌરવ અનુભવે છે. શ્રીમદને કે પરમ ભવ્ય આદર્શ ! કેવો પરમ ઉદાત્ત પુરુષાર્થ! અને પોતાની જીવનચર્યામાં પણ શ્રીમદ્ મહાવીરના આદર્શને અનુસર્યા છે, એ એમના વચનામૃતમાં સ્થળે સ્થળે આવતા ઉલ્લેખો પરથી સ્વયંસિદ્ધ થાય છે. આ મહાવીરનો આદેશ સતત જેની દષ્ટિસમુખ હતે એવા આ અનન્ય વીતરાગભક્ત શ્રીમદે તીર્થકરદેવની અનન્ય તત્ત્વસ્તુતિ કરતા આ ચાર અલૌકિક નમસ્કારમાં તે લાખો સ્તોત્રો અને કરોડો થાથી જે ભાવ ન દર્શાવી શકાય એવી અનન્ય વીતરાગભક્તિ દાખવી છે? છે તીર્થકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણુ શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ, ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જા જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના સાગબધાને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy