SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગના સાચા અનુયાયી શ્રીમની અપૂર્વ વીતરાગતા ૪૧૭ ચેાગાદિક અનેક સાધનાના બળવાન પરિશ્રમ ક૨ે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.' (શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક, ૪૩૬) આ અસાધારણુ નમસ્કારમાં અક્ષરે અક્ષરે જેની અનતગુણવિશિષ્ટ અનન્ય વીતરાગભક્તિ નિઝરે છે એવા શ્રીમદ્ વીતરાગના સાચા અનુયાયી હેાઈ પૂર્ણ વીતરાગતાને અનુસરનારા હતા; એટલે જ વીતરાગતાની આટલી ઉચ્ચતમ કેાટિએ પહેાંચ્યા છતાં શ્રીમદ્ જેવા પરમ પ્રામાણિક સત્યવક્તા–પરમ યથા વક્તા પુરુષ પેાતાની પરમાણુમાત્ર પણ ઊણુતાના મુક્તકંઠે સ્વીકાર કરી વીતરાગતાની પૂણ્ તાને જ નિરંતર ઇચ્છતા હતા; અને તેના સાક્ષી તેમના જ આ વચનામૃતા છેઃ ‘આત્મસ’યમને સ'ભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. શ્રી બેાધસ્વરૂપના યથાયેાગ્ય. (અ. ૩૧૫). જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હાય એમ અમારી માન્યતા છે. (અ. ૨૩૫). જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આસાતના કરે છે, એમ વર્તે છે. સČથા રાગદ્વેષ પિરણામનું પરિક્ષીપણુ જ કત બ્ય છે. (અ. ૫૬૯) સર્વાં વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઇ પણ જીવ બંધનમુક્ત થાય નહીં એવા સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યાં છે; જે અખંડ સત્ય છે. (અં. પ૭ર). જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિનવીરે ધર્માં પ્રકાશિયા, પ્રબળ કષાય અભાવ રે. વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. (અ. ૧૮૪)' ઇત્યાદિ. અને આ વીતરાગતાની પૂર્ણતા પામવાને જેને પૂર્ણ આત્મવિશ્વાસ છે એવા શ્રીમદ્ સૌભાગ્ય પરના આ પત્રમાં (અ. ૩૩૪) તેા નિશ્ચલ આત્માનુભવના દૃઢ નિશ્ચયથી લખે છે. દેહુ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવા અમારા નિશ્ચલ અનુભવ છે.' જે વીતરાગતાની ઘણી ઊંચી ટોચે પહેાંચેલા હાય તે જ આવા અનુભવવચના આવા દૃઢ આત્મવિશ્વાસથી કહી શકે, અને શ્રીમદ્ ા તેવી ઉચ્ચ કક્ષાએ ùાંચી ગયેલ છે એટલે જ અનુભવથી તેમ કહી શકયા છે. કારણ કે એમના આત્મા અખંડ સાક્ષી પૂરે છે.કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારા આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે.' એમ જેના વજ્રલેપ દૃઢ આત્મનિશ્ચય છે એવા પરમ નિહ. શ્રીમદ્ અત્ર પરસ ભક્તિથી કહે છે— પૂર્ણ વીતરાગની ચરણરજ નિર'તર મસ્તકે હા, એમ રહ્યા કરે છે.’ આવી અપૂર્વ વીતરાગભક્તિ દાખવી શ્રીમદ્ પુનઃ દૃઢ નિશ્ચયથી કહે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચય કારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ ચેાગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અને ઉદાસીનતા મટે એમ જણાતું નથી, અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.’-આ અત્યંત વિકટઅત્યંત આશ્ચય કારક વીતરાગપણું પેાતાને પ્રાપ્ત છે અને હવે પૂર્ણતા પામવાને થાડુ' અઢ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy