________________
૪૧૪
અધ્યાત્મ રાજચંદ્ર આત્મભાવે વર્તે છે.”—અપૂર્વ વીતરાગદશાને પામેલા શ્રીમદની અસંગ ઉદાસીનતા એટલી બધી છે કે વ્યાપારાદિ પ્રવર્તન માંડમાંડ–ઘણું ઘણી મહા મુશીબતે કરી શકે છે, મન કયાંય વિરામ-વિશ્રાંતિ પામતું નથી, ચિત્તને –બાહ્ય મનને પણ ઝાઝે સંગ રહ્યો નથી;શ્રીમદ્દને આ અસંગ આત્મા આત્મભાવે વસે છે,–એવી અદ્ભુત આત્મચારિત્રદશા શ્રીમને પ્રગટી છે. એટલે જ શ્રીમદ્ આગળ લખે છે–સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવાનો સંગ નથી.'—એક સમયે જે આવી આત્મભાવે વર્તાવારૂપ-આત્મસંયમરૂપ આત્મચારિત્રદશા છે, તે તેના કરતાં બીજા સમયે અનંતગણી બળવાન હોય છે, તેના કરતાં ત્રીજા સમયે અનંતગણું બળવાન હોય છે—એમ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ બળવાન અપૂર્વ આત્મસંયમ ધારા–આત્મચારિત્રધારા શ્રીમદની વધતી જાય છે! આવી અપૂર્વ વીતરાગદશા છતાં આ પરમ પુરુષની પરમ ગંભીરતા જોવા જેવી છે કે તે કઈને કળવા દેતા નથી અથવા “કળી શકે તેવાને સંગ નથી ”—તે દશા કળી શકે એવો કઈ સત્સંગી મુમુક્ષુ નથી. આ પરમગંભીર જ્ઞાનાવતાર પુરુષની પરમ જ્ઞાનગંભીરતા કેવી અદૂભુત છે! અત્યારે તો આવી દશાને અનંતાંશ પણ ન હોય એવા સામાન્ય પ્રાકૃતજને તેનાથી અનંતગણો ડોળદેખાવ કરી અનંતગણું જાહેરાત કરી પોતાની પામરતાનું પ્રદર્શન કરતા દેખાય છે, ત્યારે આવી અનંતગુણવિશિષ્ટ વીતરાગ આત્મદશાને પામેલ આ પરમ નિર્દભ અસામાન્ય પરમ પુરુષ પોતાની પરમતાને અનંત અંશ પણ કળવા દેતે નથી–દર્શન પણ થવા દેતો નથી અહો ગંભીરતા ! આ અમૃત પત્રના અંતે લખેલા આ અમર શબ્દોમાં શ્રીમદની અલૌકિક જ્ઞાનદશાનું દર્શન થાય છે –“આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જે બોધ તે અમને સહજે સાંભરી આવે છે.આ રહસ્યભૂત શબ્દોમાં તો શ્રીમદે પોતાની અલૌકિક પરમ અદ્દભુત આત્મદશા માર્મિકપણે સૂચવી દીધી છે. શ્રીમદૂના દિવ્ય આત્માને વિષે જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને તે પણ “સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું છે, તે જ્ઞાન “શ્રી વર્ધમાનને વિષે' હતું,-એ શબ્દો પૂર્વની કઈ સ્મરણઅનુસંધિનું દર્શન કરાવવા સાથે શ્રીમદૂની અદ્દભુત જ્ઞાનદશા પર અપૂર્વ પ્રકાશ નાંખે છે. અને એટલે જ “પૂર્ણ વીતરાગ જેવો બેધ” શ્રીમદને સહેજે સાંભરી આવે છે’–સ્મરણમાં આવી જાય છે. આને ફલિતાર્થ એમ થશે કે શ્રીમદ્ તથારૂપ જ્ઞાનદશા-ચારિત્રદશાને સાક્ષાત અનુભવ કરી રહ્યા છે, યથાર્થ આત્મપદાર્થને યથાર્થ બેધ પામી જે પૂર્ણ વીતરાગદશાને પામેલા છે એવા પૂર્ણ વીતરાગને બંધ જે હોય તે બેધ સ્મૃતિ–અનુભવગોચર કરી રહ્યા છે. કેવી અદ્દભુત જ્ઞાનદશા! કેવી અદ્દભુત વીતરાગ ચારિત્રદશા !
આ જ ભાવની પુષ્ટિ કરતા એક બીજા પરમ અમૃતપત્રમાં (અં. ૩૨૨) શ્રીમદ પરમાર્થ સખા સૌભાગ્યને લખે છે–અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે