SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગના સાચા અનુયાયી શ્રીમદ્દની અપૂર્વ વીતરાગતા ૪૧૩ હતા, જગતના સંગપ્રસંગથી અત્યંત ઉદાસીન અસંગ બની ગયા હતા. એટલી બધી વિશેષ વીતરાગતા વર્તાતી હતી કે તેમને જગતમાં ક્યાંય “સાતું ન હતું–ગોઠતું ન હતું–મન વિશ્રાંતિ પામતું ન હતું; માત્ર વીતરાગતાની–આત્મતાની પિષક એવી સત્સંગતામાં જ એમને રસ રુચિ કે રાગ હતે. આની સાક્ષી એમના સૌભાગ્ય પરનાં આ પત્ર જ પૂરે છે કાળ વિષમ આવી ગયો છે, સત્સંગનો જોગ નથી અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. (અં. ર૯૮). વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. (સં. ૨૯૩). એક ક્ષણ પણ આ સ સર્ગમાં રહેવું ગમતું નથી. (અં. ૩૯). દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય? (અં. ૫૦૪). ચિત્ત ઘણું કરીને વનમાં રહે, છે. આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણાવીએ તે સત્સંગ નથી; મનને જેમ વાળીએ તેમ વાળી શકીએ છીએ. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી, જગમાં સાતું નથી. ૪૪ લિ. યથાર્થ બોધસ્વરૂપના ય. (અ. ૩૧). ઇત્યાદિ. વ્યાપારવ્યવહાર મધ્યે વત્તતા છતાં શ્રીમદ્દ આવી અદ્ભુત, આવી અપૂર્વ, આવી અલૌકિક, આવી અનુપમ વીતરાગતા આચરી શક્યા એ જ પરમ આશ્ચર્યનું આશ્ચર્ય છે! તરવારની ધાર કરતાં પણ દોહ્યલું આવું વિષમ અસિધારાવ્રત શ્રીમદ્દ જે કઈ વિરલ અપવાદમાં અપવાદરૂપ (Exceptionally exceptional) અને અસાધારણમાં અસાધારણ (Extraordinarily extraordinary) મહાવીર પુરુષ જ કરી શકે! શ્રીમદ્દની આ અપૂર્વ વીતરાગતાનું અપૂર્વ દર્શન આપણને શ્રીમદના “સુભાગ્ય પરના આ અમૃત પત્રમાં (અં. ૩૧૩) પ્રાપ્ત થાય છે. અત્રે આ પત્રના મથાળે મૂકેલું જ્ઞાનીના આત્માને અવકીએ છીએ અને તેમ થઈએ છીએ”—એ પરમ અર્થગંભીર મહાવાક્ય સૂચવે છે કે શ્રીમદ્દ જ્ઞાનીના આત્માને સાક્ષાત્ અવલોકી રહ્યા છે,–જેમ છે તેમ યથાર્થ વસ્તુસ્વરૂપે આત્માનુભવપ્રત્યક્ષથી સાક્ષાત્ દેખી રહ્યા છે અને તેમ'જેમ જ્ઞાનીને આત્માની શુદ્ધ વીતરાગદશા દીઠી છે તેમ તેવી દશાસંપન્ન પિતે થાય છેવર્તમાનમાં થયા છે. જેમાં આવું પોતાની વીતરાગ જ્ઞાનદશાનું સૂચક આ સૂચક મથાળું છે એવા આ પત્રમાં પરમાર્થ સખા સૌભાગ્યને શ્રીમદ્દ લખે છે—કઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડમાંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી. ઘણું કરીને અત્ર કેઈને સમાગમ ઈચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થ વાક્ય વદવા ઈચ્છા થતી નથી. કેઈએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તને પણ ઝાઝે સંગ નથી, આત્મા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy