SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દના ચિત્તની ચૈતન્યમય દશા ૪૦૯ છે, માટે કઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલંબ થાય અથવા ન મોકલાય અથવા કાંઈ ન જણાવી શકાય તો તે શેચ કરવા ચોગ્ય નથી, એમ દેઢ કરીને અત્રેને પત્રપ્રસંગ રાખજે. (સં. ૨૦). તમલિખિત કેટલાંક પત્રોને વિષે જીવાદિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે, તેને માટે પણ ઘણું કરીને તેમજ થયું છે. (અં. ૩૯૮). ચાર લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે, કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ પ્રવર્તે છે. * * અહોરાત્ર ઘણું કરી વિચારદશા રહ્યા કરે છે. (સં. ૬૧૨). ઈ. પિતાના ચિત્તની ચૈતન્યમય દશાને સમજી શકવા સમર્થ પરમાર્થસખા સુભાગ્યને તે શ્રીમદ્ આ અંગે ઓર ખુલાસાથી સ્પષ્ટતા કરે છે–પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું? કહેવું શું? જાણવું શું ? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી ? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થ સંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર, પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થ કથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે.” (અં. પ૭૬) તેમ જ ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે, અને લખતાં લખતાં કપિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્ર વત્ હોય ત્યારે જે પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તે તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિને યથાત તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવા બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. XX X આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાને પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે, અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થ સ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલિપત જેવું લાગે છે, તે પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે.” (નં. ૫૮૬). અર્થાત્ એક તે ચિત્ત ચતન્યમાં જ લીન થયેલું છે,–આત્માનો ઉપયોગ આપોઆપ આત્મામાં જ વ છે, અને બીજું બાહ્ય ઉપગ શૂન્યમનસ્કપણે તીવ્ર ઉદયઉપાધિમાં વર્તાવ પડે છે, એટલે એ આડે ચિત્ત પરમાર્થ લેખનમાં સ્થિર રહી શકવા જેટલે અવકાશ રહેવા પામતે નથી–જેથી આ પરમાર્થ લેખનપ્રવૃત્તિ હાલ તત્કાળ (૧૯૪૮-૧૯૫૧) થોડા વખત માટે શ્રીમદે ગૌણ કરી દીધી છે. - અત્રે સહજ પ્રશ્ન થ સંભવે છે કે શ્રીમદના ચિત્તની જે આવી ચિતન્યમય દશા અ–પર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy