________________
પ્રકરણ ચોસઠમું શ્રીમન્ના ચિત્તની ચૈતન્યમય દશા ચિત્તની દશા ચિંતન્યમય રહ્યા કરે છે.
અત્રે આત્માકારતા વતે છે. આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હેવાપણું તે આત્માકારતા કહીએ છીએ.–શ્રીમદ્ રાજચંદ્ર
શ્રીમદની આવી અલૌકિક અસંગતા–અદ્ભુત ઉદાસીનતા આદિનો મૂળ હેતુ શ્રીમદ્દ અસંગ-ઉદાસીન ચૈતન્યમાં લીન થયા તે છે; શ્રીમદનું ચિત્ત ચૈતન્યમય બની ગયું તે છે. જે ચિત્ત ચૈતન્યમય બની ગયું હોય–ચતન્ય સાથે તન્મય–ચૈતન્યાકાર થઈ ગયું હોય, તેને ત્યાંથી ઊઠી અન્યત્ર સંગ કરવાનો પ્રસંગ જ કેમ પ્રાપ્ત થાય? તે અન્યત્ર ચેટી જ કેમ શકે? ગીંદ્ર રાજચંદ્ર મનને૪ આત્મામાં એવું તદાકાર છ દીધું અને વાક-કાયાથેજિત વ્યવહારને મનથી એ વિયેજી દીધો કે તેઓ મન-વચન-કાયાના ચોગથી નિયુક્ત વિમુક્ત (separated & freed) થઈ વિવિક્ત–સાવ પૃથક-જૂદા (Detached, Intercepted) પડી ગયા ને મન-વચન -કાયાના સંગથી (Touch, contact) મુક્ત અસંગ થઈ ગયા. આમ ઉપયોગસુસ્થિત આ ગીંદ્ર મનવચન-કાયાના ચેગથી આત્માનું મુક્તપણું સિદ્ધ કરી અસંગતા સિદ્ધ કરી તે તેમના ચિત્તની ચૈતન્યમય દશાને લઇને છે. શ્રીમદને ચિત્તની આ ચૈતન્યમય દશાનું તાદશ્ય ચિત્ર આ પ્રકરણમાં આલેખન કરશું—અને તે પણ શ્રીમદ્દન અનુભવવચનોના વિવિધ ચિત્તાકર્ષક રંગ પૂરીને કરશું.
આત્મમગ્ન શ્રીમદ્ પિતાના પરમ પરમાર્થ સુદ હૃદયરૂપ “સુભાગ્યને પણ કેટલોક વખત સવિસ્તર પત્ર લખી શક્યા નથી, તેનું મુખ્ય કારણ આ ચિત્તની ચૈતન્ય મય દશા દર્શાવતાં શ્રીમદ્ સૌભાગ્યને ૧૯૪૭ના વૈ. વ. ૮ના અમૃત પત્રમાં (અં. ૨૪૭) લખે છે–“ઉપાધિ અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. ૪ ૪ ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.”—ચિત્ત ચૈતન્યથી જૂદું નહિં એમ ચૈતન્ય સાથે તન્મય –ચૈતન્યાકાર રહ્યા કરે છે–ચાલુ અખંડ એકધારાથી વર્યા કરે છે. આમ છે એટલે જ લખે છે-“જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.” ચિત્ત
જ્યાં ચતન્યમાં જ ચોંટયું હોય તે અન્યત્ર વ્યવહારમાં ચૂંટી જ કેમ શકે ? અને જ્યાં ચિત્ત જ ન હોય-ચિત્ત ચુંટતું જ ન હોય, તે કામ કરવાનું હોય–કરવાનું આવી
યુનીત જનસામાન, વાયાખ્યાં વિયોગપેન્દ્ર मनसा व्यवहारं तु त्यजेद्बाकूकाययोजितम् ।।"
-શ્રી પૂજ્યપાદસ્વામીત સમાધિશતક