SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ અધ્યાત્મ રાજચંદ્ર હોય.” તેમ જ બીજા પત્રમાં (અં. ૪પ) લખ્યું છે તેમ– શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા તે જ સમયે ન હોય એ કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ૪૪ સમ્યગદષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહિં” અને શ્રીમદને પણ તેમ જ છે. કારણ કે સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયું છે. તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી, એ એક પ્રકારનો મેટ “કલેશ” વર્તે છે. (અં ૩૭૯) વિચારવાન પુરુષને કેવળ કલેશરૂપ ભાસે છે, એ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે, (અં.૩૮૩) -એમ પરમ ભવવિરક્તિનું આત્મસંવેદન દર્શાવનારા શ્રીમદ જેવા પરમસમ્યગ્દષ્ટિ જ્ઞાની વીતરાગને તો ભાવ પ્રતિબંધને અંશ પણ છે નહિં. એટલે આવાં ભાવઅપ્રતિબદ્ધ અસંગ પુરુષને અબંધભાવ જ-અબંધ પરિણામ જ છે, એટલું જ નહિં પણ તે તે પ્રારબ્ધોદય જોગવતાં કેવળ નિર્જર જ હોય છે. અધ્યાત્મસાર-સમયસાર આદિ શાસ્ત્રોમાં કહ્યું છે તેમ-અજ્ઞાનીઓને બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી–નિજેરા જ છે. જ્ઞાની સેવાનો ન -જ્ઞાની સેવતાં છતાં સેવ નથી–ભોગવતાં છતાં ભોગવતો નથી ! અને અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે–નહિં ભગવતાં છતાં ભગવે છે ! નેવંતવિ જ સેવા અમારિ રેજે હો આમ કઈ કર્મ ભોગવતાં છતાં કર્મોથી બંધાતું નથી !—તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે? જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદ્ગલકર્મને ઉદય જ્ઞાની ભોગવે છે પણ બંધાતો નથી,-આ જ્ઞાનનું સામર્થ્ય છે; જેમ મધ પીતો પુરુષ અરતિભાવે કરીને મદવાળો થતો નથી, તેમ દ્રવ્યઉપભેગમાં અરત જ્ઞાની બંધાતો નથી, આ વૈરાગ્યનું સામર્થ્ય છે. એટલે જ આ જ્ઞાન-વિરાગ્યસંપન્ન જ્ઞાની પુરુષ+–ગદષ્ટિ " सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। पगरणचेट्ठा कस्सवि ण य पायरणोत्ति सो होई ।। जह विसमुवभुजतोवेजो पुरिसो ण मरणमुवयादि । पुग्गलकमस्सुदय तह भुंजदि णेव बज्झए णाणी ।। जह मजं पिबमाणो अरदिभावेण मजदि ण पुरिसो। दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ॥ –સમયસાર ગાથા, ૧૫-૧૬-૧૭ " सेवतेऽसेवमानोपि सेवमानो न सेवते। कोऽपि पारजनो न स्याच्छ्रयन् पारजनानपि ॥" " तद् ज्ञानस्यैव सामर्थ्य विरागस्य च वा किल । ચ ક્રોડપિ મિઃ ર્મ મુન્નાનોfજ ન તે ” –સમયસારકળશ " भोगान् स्वरूपतः पश्यस्तथा मायोदकोपमान् । મકાનોકરિ ઇ સન કથાવ છું પરમ ” યોગદષ્ટિસમુચ્ચય શ્લે, ૧૬૮
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy