SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક અસંગતા સમુચ્ચયમાં કહ્યું છે તેમ–ભેગોને સ્વરૂપથી માયાજલ સરખા દેખતે, ભેગવતાં છતા અસંગ સત–પરમ પદ પ્રત્યે જાય જ છે. તે પછી જેનું પરમ જ્ઞાનસામર્થ્ય અને પરમ વૈરાગ્યસામર્થ્ય આપણે અત્રે પદે પદે જોઈ જ રહ્યા છીએ, તે આ પરમજ્ઞાન-વૈરાગ્યસંપન્ન શ્રીમદ્દ જે જ્ઞાનાવતાર વીતરાગ પુરુષ સંસારસંગમાં પણ પરમ અસંગ રહી પરમ પદ પ્રત્યે તીવ્રવેગે દેટ મૂકી રહ્યો હોય એમાં આશ્ચર્ય શું? અત્રે તીર્થકરાદિ જેવા પરમ સમ્યગદષ્ટિ જ્ઞાનીઓનું દષ્ટાંત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. “રાગ ભરે જન મન રહે, પણ તિહુંકાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રને, કોઈ ન પામે હો તાગ”—એવા આજન્મ પરમ વૈરાગી તીર્થકર દેવને તેવા પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહાવાસમાં સ્થિતિ કરવાને પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મમાં–આત્મધર્મમાં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ અસંગ પુરુષ ભેગકર્મને ભેગવતાં છતાં પણ બંધાતા નથી.–ઉલટા તે ભેગાવલી કમ ભેગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે,-એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનેને જે ભેગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્યઅસાધારણ અતિશયવંત તીર્થકરાદિ સમ્યગદૃષ્ટિ પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છેએટલે સામાન્ય પ્રાકૃત કોટિના જનનો નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી, તેઓ તેમાં અપવાદરૂપ છે, Exception proves the rule અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. કાજળની કોટડીમાં પણ અસંગ રહી ડાઘ ન લાગવા દેવે તે આવા કેઈ અપવાદરૂપ (Exceptional) પુરુષ જ કરી શકે છે. રાજમાર્ગે—ધોરીમાગે તે સહુ કેઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી–એકપદી પર ચાલવું તે કઈ વિરલાઓનું જ કામ છે. અને તે એક વિશિષ્ટ વિરલે આપણે ચરિત્રનાયક આ રાજચંદ્ર છે. કારણ કે આ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના મેગથી–ખરેખરા અંતઃકરણથી અનિચ્છતા છતાં–સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડયો છે, તે આ પરમ સમર્થ ગીએ અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ કર્યો છે; કાજળની કોટડી જેવા સંસારપ્રસંગમાં પણ જરા પણ ડાઘ ન લાગવા દેવાનું યોગકૌશલ- રોનક પાળિ શમ્ દાખવી પરમ આત્મસામગનો પરચો બતાવ્યો છે. આમ ત્રીજા અર્થમાં અસંગતાનું દર્શન કરી, સંગના આસક્તિ-સ્નેહભાવ એ ચોથા અર્થમાં શ્રીમદૂની અસંગતાનું દર્શન કરીએ. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી (અં, ૩૯) એમ અનેક પત્રોમાં જણાવ્યું છે તેમ શ્રીમદૂને સંસાર પ્રત્યે લેશ પણ સંગ-આસક્તિ-સ્નેહભાવ રહ્યો નથી, અત્યંત અસંગ–અનાસક્તિઅસ્નેહભાવ જ છે, એટલે સ્નેહરૂપ આસક્તિના અભાવે અત્યંત અબંધભાવ જઅબંધ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy