________________
૩૯ર
અધ્યાત્મ રાજચંદ્ર વિચાર કરીએ. આત્માને-ચતન્ય દ્રવ્યને વાસ્તવિકપણે પરદ્રવ્યની સાથે કંઈ લેવાદેવાને સંબંધ નથી, માત્ર યજ્ઞાયક સંબંધ છે, એટલે પ્રદીપ જેમ પ્રકાશ્ય પ્રતિ ઉદાસીન છે તેમ આત્મા પર પ્રતિ નિત્યમેવ ઉદાસીન છે એમ વસ્તુસ્થિતિ છે,–“મા વીવત vi fસ ૩રાણીનો નિયતિ તુરિથતિ (સમયસારટીકા ગા. ૩૭૩-૩૮૨). અર્થાત્ તત્ત્વથી નિશ્ચયથી આત્માને અન્ય દ્રવ્ય સાથે લેવાદેવા નથી, ઉદાસીનતા જ છે, ઉદાસીનતા એ જ આત્માને–ચત દ્રવ્યને સહજ સ્વભાવ છે. જ્ઞાનીને આ સહજ ઉદાસ પરિણામે રહેલા ચૈતન્યનું પૂરેપૂરું ભાન છે એટલે પ્રવૃત્તિમાં પણ તે સહજ આત્મ સ્વભાવરૂપ ઉદાસીનતા રાખવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. આ પરમ ઉદાસીનતા રાખવાના પરમ વિકટ આત્મપુરુષાર્થ અંગે શ્રીમદ્દ અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૩૨૧) આ સ્વાનુભવસિદ્ધ વચન લખે છે –“અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચિતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે તે પણ કહીએ છીએ; માયા દુસ્તર છે, દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તાના-(ગૃહસ્થપણા સહિતની)-તે અબંધપરિણામી કહેવા ગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે.” આવું પરમ વિકટ કાર્ય કરનારા પરમ ઉદાસીન શ્રીમદ્દ જે મૂકવા યોગ્ય હતું તે બધું મૂકી દીધું ને લેવા ગ્ય હતું તે બધું લઈ લીધું–રમુમુક્યોસત્તાધારના રસ્તા –એવી સમયસારકળશમાં (૨૩૬) સંગીત કરેલી–પરમ ધન્ય જ્ઞાનદશા પામ્યા છે; “લેકે ન રહી ઠેર, ત્યાગીવેકે નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જી, કારજ નવીન હૈ'—એવી ઉક્ત કળશનો ભાવ ઝીલી બનારસીદાસજીએ ગાયેલી પરમ અદ્ભુત દશાને પ્રાપ્ત થયા છે. આ અભુતદશાના કાવ્યનું સ્વાનુભવસિદ્ધ પરમાર્થ દર્શન કરતાં શ્રીમદ સૌભાગ્યને લખે છે (પત્રાંક ૩૩૮)–“સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી; સ્વરૂપને તે કઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે, ત્યાં તે પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગયું? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય? એટલે કહે છે કે, અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ” આમ, જેમાં પિતાની અદ્ભુત ઉદાસીન દશાનું જ પ્રતિબિંબ પડે છે એવા આ પરમાર્થદર્શનમાં જણાવ્યું છે તેમ લેવાદેવાની જ જાળ રહિત-“હાનાદાનરહિત પરિણામી ઉપેક્ષાભાવરૂપ કેવી ઉદાસીનતા શ્રીમદુને પ્રગટી છે!
હવે સાક્ષીભાવ–દષ્ટાભાવરૂપ ચોથા અર્થમાં શ્રીમદૂની ઉદાસીનતા અવકીએ. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણે અનુસરતાં ઉદાસીન સાક્ષીભાવે વર્તાતા શ્રીમદ્દ પરમાર્થસખા સૌભાગ્ય