________________
૩૮૮
અધ્યાત્મ રાજચંદ્ર ઉદાસીન થયેલા છે; જગઉપાધિ એમના ઉપર ચઢી બેસી એમને દબાવે એને બદલે જગતુઉપાધિનો ગેટ વાળી શ્રીમદ્દ તેના ઉપર ચઢી બેસી એને દબાવી બેઠા છે—ઉદાસીન રહેલા છે. એટલે અખિલ જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અધિક છે એવા આ જગદગુરુ શ્રીમદને આખું જગત્ સોનાનું થાય તો પણ તૃણવત્ છે, એટલે જ એમને અખિલ જગમાં એક પરમાણુમાત્રની પણ સમયમાત્ર પણ ઈચ્છા ઉપજતી નથી. આમ શ્રીમદૂને એક આત્મા સિવાય જગમાં અન્ય પદાર્થમાં રુચિમાત્ર રહી નથી. એટલે એમનું મન જગતપ્રસંગથી એટલું બધું ઉદાસ થઈ ગયું છે, કે તેનું તીવ્ર વેદનામય આત્મસંવેદન દાખવતા શ્રીમદ્દ પરમાર્થસહદ્ સૌભાગ્યને ૧૯૪૭ના ભાદ્ર, વદ ૭ ના પત્રમાં (સં. ૨૭૭) લખે છે–ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું? મન કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણે છે, કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે.આ શબ્દમાં શ્રીમદના આત્માની કેવી ઊંડી અંતર્વેદના દેખાય છે! આવી જ તીવ્ર આત્મવેદના શ્રીમદ્ સૌભાગ્ય પરના એક બીજા પત્રમાં (અં. ૩૧૭, ૧૯૪૮ પિષા વદ ૯) ઠાલવે છે–ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તે માથે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃિત્ત કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણું રાખીએ છીએ. જગથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તે સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતું નથી. જગતમાં સાતું નથી.–અત્રે “જગતમાં સાતું નથી–જગમાં ગઠતું નથી એ શબ્દોમાં શ્રીમદના આત્માને કે હૃદયભેદી ચીત્કાર સંભળાય છે! ઉદાસીનતાની કેવી પરાકાષ્ઠા દેખાય છે!
આવા પરમ ઉદાસીન અખંડ આત્મધ્યાનમાં નિમગ્ન શ્રીમદનું મન વ્યવહારપ્રવૃત્તિમાં બાઝતું નથી–ઉદાસપણે પ્રવૃત્તિ કરે છે, અને આમ “વનની મારી કોયલની જેમ આ કાળમાં આ પ્રવૃત્તિમાં આવી ભરાણ જેવી પોતાની સ્થિતિ દર્શાવતું આત્મસંવેદન હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૩૬૬, ૧૯૪૮ વિ. સ. ૧૨) શ્રીમદ દાખવે છે—મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિ જોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તે ડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી