SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દની અદ્દભુત ઉદાસીનતા ૩૮૯ ચોગ્યતાવાળું તે ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, તે ઉદાસપણે તેમ કરીએ છીએ, મન ક્યાંય બાઝતું નથી, અને કંઈ ગમતું નથી; તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિપમ એવું જે આત્મધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું? “વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ.” આમ શ્રીમદ્દની અંતરસ્થિતિ ચિત્તસ્થિતિ અતિ ઉદાસીન હતી અને બાહ્ય સ્થિતિ ઉપાધિ પ્રસંગમાં વર્ણવાની હતી, એટલે કાર્યમાં ચિત્ત નહિં ચૂંટતાં ઉદાસીન રહેવાને લીધે અવ્યવસ્થા થઈ જતી અને તે બાહ્ય કાર્યઉપાધિ અખંડિત આત્મધ્યાનમાં વિક્ષેપ પાડતી અથવા તેને ગૌણ કરતી. આમ બેવડી મુશ્કેલીબેધારી તલવાર પર ચાલવા જેવી વિકટ બેવડી પરિસ્થિતિ હતી. આ શ્રીમદ જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ અતિ ઉદાસીન એવી વિકટ સ્થિતિ ઘણુ જ થોડા જ્ઞાનને પ્રાપ્ત હશે. આ અંગે પોતાનું અંતર્વેદન શ્રીમદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૩૪, ૧૯૪૮ ફા. શુ. ૧૦) વ્યક્ત કરે છે–“ઘણું ઘણુ જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે, અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે.” આમ અતિ ઉદાસીન ચિત્તસ્થિતિને લીધે જગભાવથી અસ્પૃશ્ય આત્મમગ્ન શ્રીમદુની પ્રથમ અર્થમાં ઉદાસીનતા કેવી અદ્ભુત હતી તેને વિચાર કર્યો. હવે બીજા સમતા અર્થમાં શ્રીમદની આ ઉદાસીનતા કેવી અદ્ભુત છે તે તપાસીએ. સમજ્યા તે શમાયા” એમ સ્વરૂપમાં સમાવારૂપ સમાધિ જે પામ્યા છે એવા શ્રીમદ્ આ સમાધિની વ્યાખ્યા કરતાં તેની વિકટતા અંગે સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૫૫૧, ૧૯૫૧ માગ.) અનુભવજ્ઞાનથી લખે છે તેમ-શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો, પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. છતાં “અત્ર આત્મતા હોવાથી સમાધિ છે, (અં. ૩૬૨), અમને તે ગમે તેમ છે તે પણ સમાધિ જ રાખ્યા રહેવાની દઢતા રહે છે (અં. ૩૪૧),-એ શ્રીમદના અનુભવસિદ્ધ વચને સૂચવે છે તેમ શ્રીમદે તે વિકટ કઠણ વાત પણ સંભવિત કરી દેખાડી એ પરમ આશ્ચર્ય છે; અને એ જ એમની પરમ અદ્દભુત સમતારૂપ ઉદાસીનતા છે. કારણ કે પ્રારબ્ધોદયને સમભાવે વેદનારા સમભાવભાવી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy