________________
શ્રીમદની અદ્દભુત ઉદાસીનતા બીજો અર્થ સમતા થાય છે, કારણ કે જગના ભાવોથી પર–અસ્પૃશ્ય એવા તે ઉંચા આત્માસને જે બિરાજમાન છે તેને તે તે પરભાવે પ્રત્યે રાગ-દ્વેષાદિને અસં. ભવ જ છે. એટલે સૌભાગ્ય પરના સુપ્રસિદ્ધ મહાન પત્રમાં (અં. ૩૯૮) શ્રીમદે કહ્યું છે તેમ ઉદાસીન શબ્દને અર્થ સમપણું છે.” (૩) અને આમ જે જગના ભાવે ન સ્પશી શકે એવા ઉંચા આત્માસને સમતાથી બિરાજમાન છે તેને જગના ભાવો સાથે કાંઈ લેવાદેવાને સંબંધ નથી–પરભાવરૂપ જગત ગમે તે સ્થિતિમાં છે તેની સાથે તે કૃતકૃત્ય આત્માને કંઈ લેવા દેવા નથી-આનંદઘનજીએ કહ્યું છે તેમ હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વિક્ષણ રે'—લેવા દેવાના પરિણામથી રહિત એ કૃતકૃત્યતારૂપ ઉપેક્ષાભાવ એ ઉદાસીનતાને ત્રીજો અર્થ છે. શ્રીસિદ્ધસેન દિવાકરે ન્યાયાવતારમાં અને શ્રીમંતભદ્રાચાર્યે ૪ આપ્તમીમાંસામાં કેવલ જ્ઞાનનું ફલ ઉપેક્ષા–ઉદાસીનતા કહ્યું છે તે આ અર્થમાં છે. (૪) અને આત્માને સ્વભાવ દેખવા-જાણવાને તે છે જ, એ સ્વભાવ તે કઈ કાળે ચાલ્યા જઈ શકે એમ નથી, એટલે કર્તુત્વભાવ છૂટી જતાં લેવાદેવાના પરિણામથી રહિત તે કૃતકૃત્ય પુરુષનું સાક્ષીભાવે–દષ્ટાભાવે વીક્ષણ જોયા કરવું દેખ્યા કરવું તે ઉદાસીનતાને થે અર્થ છે. આમ વિશ્વભાવથી અસ્પૃશ્ય પરમાનંદમય આત્માસનમાં બિરાજમાનપણું, સમતા, ઉપેક્ષા, અને સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ એમ ઉદાસીનતાના ચાર અર્થ છે; આ ચારે અર્થમાં ઉદાસીનતા શ્રીમદ્દમાં ઘટે છે. કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી’ એમ ફીકરની ફાકી કરી ફકીર બનનારા ને આત્માનંદમાં જ મગ્ન રહેનારા પરમ ઉદાસીન શ્રીમદમાં આ સર્વ અર્થમાં ઉદાસીનતા કેવી પરાકાષ્ટાને (climax) પ્રાપ્ત થાય છે, તેનું આપણે અત્ર અવલેહન કરશું.
જેને “હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અરૂપી આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુમાત્ર પણ મહારું નથી–એવી અખંડ આત્મભાવના અંતરમાં સદેદિત હતી, એવા શ્રીમદ્દ સમસ્ત જગતથી કેવા ઉદાસીન છે તેનું દર્શન આપણને શ્રીમદૂના સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૨૧૪) થાય છે–“ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત મનેગને લીધે ઈચ્છા ઉત્પન્ન છે તે ભિન્ન વાત, પણ અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત્ છે અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.”— સથી અભેદ એવા પરમ ભાવિતામાં શ્રીમદને અભેદદશા આવી છે અને જગમાં સર્વત્ર અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ વર્તે છે, એટલે આખું જગત સોનાનું થાય તે પણ એમને મન તણખલા બરાબર છે. અર્થાત્ પરમ ઉદાસીનભાવને પામેલા જગદગુરુ શ્રીમને આ જગતમાં કઈ પણ પદાર્થની ઈચ્છાને સ્પર્શ પણ થતો નથી; શ્રીમદ્ જગને ભાવ ન સ્પશી શકે એવા “ઉ”-ઉંચા આત્માના આસનમાં “આસીન'–બિરાજમાન
अहमिको खलु सुद्धो दंसणणाणमईओ सदारूवी । णवि अस्थि मज्झ किचिवि अण्णं परमाणुमित्तंपि ॥",