SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બાસઠમું શ્રીમદ્ભી અદ્દભુત ઉદાસીનતા “જહાં રાગ અને વળી છેષ, તહાં સર્વદા માને કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા,–શ્રીમદ્ રાજચંદ્ર ઉપાધિ મળે પણ શ્રીમદ્દ આવી અપૂર્વ સમાધિદશા રાખી શક્યા તેનું રહસ્યકારણ શું છે? ઉપાધિને પોતાના પર આરૂઢ ન થવા દેતાં પિતે તે ઉપાધિ ઉપર આરૂઢ થઈ ગયા તેનું અંતર્ગત કારણ શું છે? શ્રીમદૂની અદ્દભુત ઉદાસીનતા એ જ તેનું રહસ્યકારણ છે, એ જ તેનું અંતર્ગત કારણ છે. “અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા એ અનુભવસિદ્ધ વચન શ્રીમદ્દના અધ્યાત્મ જીવનની રહસ્ય-ચાવી (Master-key) છે, “ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખને છે ત્યાં નાશ? એ પિતાનું જ સૂત્ર શ્રીમદના જીવનસૂત્રનું મૂળ સૂત્ર છે. શ્રીમદની આ અદ્ભુત ઉદાસીનતાનું આ પ્રકરણમાં દિગદર્શન કરશું. ઉદાસીનતા એટલે શું? ઉદાસીનતા એટલે શેકવાચક ઉદાસપણું–‘ગિયા મોઢા રૂપ ગમગીનપણું નહિ, પણ જગતને ભાવ ન સ્પશી શકે એવા ઉંચા પરમાનંદમય આત્માના આસનમાં બિરાજવાપણું. એટલે કદષ્ટિનું ગમગીન૫ણારૂપ ઉદાસીનપણું તો ક્યાંય દૂર રહ્યું, અત્રે તે આત્માના પરમાનંદમાં નિમગ્નપણું જ છે. ઉદાસીનતા શબ્દને વ્યુત્પત્તિ અર્થ પણ એ જ સૂચવે છે. (૧) ઉદાસીન = ઉત્ + આસીને “ઉ” એટલે ઊંચે-જગના ભાવ ન સ્પશી શકે, રાગ-દ્વેષ–મહાદિ ન સ્પશી શકે, ઈચ્છા-અનિચ્છા સુખ–દુઃખ આદિ ઠંદ્ર ને સ્પશી શકે, કર્તા-ભોક્તાદિ ભાવ ન સ્પશી શકે એવા ઉંચા આસનમાં આસીને—બેઠેલ, બિરાજેલ; અર્થાત્ “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી”જગના સર્વ ભાવ ન સ્પશી શકે એવા પરમાનંદમય આત્માના આસનમાં-સુખાસનમાં બેઠેલ તે ઉદાસીન, અને તેને ભાવ તે ઉદાસીનતા. આનંદઘન આત્માન આત્માના પરમાનંદમાં નિમગ્નપણું એજ પરમાર્થ ઉદાસીનતા છે. સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૧૯) પિતાને પરમાર્થ ઉદાસીનતા છે એમ શ્રીમદે મામિકપણે લખ્યું છે, તેને મર્મ આ જ છે કે તેમને લોકદષ્ટિનું ગમગીનપણું_ઉદાસપણું નહિ પણ આ પરમાર્થઉદાસીનપણું છે. (૨) આ મુખ્ય વ્યુત્પત્તિઅર્થ ઉપરથી ઉદાસીનતાને " उपेक्षाफलमाद्यस्य शेषस्यादानहानधीः । પૂર્વ વડજ્ઞાનનારો ના સર્વાચ સ્વરે ” આસમીમાંસા, શ્લો, ૧૦૨ " प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् ।। केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ॥" શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy