________________
ઉપાધિ મળ્યે સમાધિ: અલૌકિક રાધાવેધ’
૩૮૫
જેમ છે તેમ ‘સ્વાસ્થ્ય’-સ્વમાં સ્થિતિરૂપ સ્વસ્થપણું છે. વિષમ વિચિત્ર સોગોમાં પણ અવિષમ શ્રીમદ્નનું કેવું અદ્દભુત સ્વાસ્થ્ય ! કેવી અવ્યાખાધ સ્થિરતા !
બાહ્ય ઉપાધિ મધ્યે પણ અત્યંત અસંગ રહેલા શ્રીમદ્ આવા અવ્યામાધ સમાધિસ્થિત છે, છતાં ઉપાધિમધ્યે કેવળ અસંગદશા અત્યંત કઠણ છે એ અંગે તેએ કેવા પૂરેપૂરા સચેત છે અને સમાધિમાં ન્યૂનતારૂપ કંઈક અસમાધિપણું રખેને આવી જાય તે તે ઉચ્છેદવા કેવા ઉજાગૃત છે, તે તેમના આ સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૫૭૧, ૧૯૫૧ ક઼ા. વદ ૫) સ્વયં જણાઇ આવે છે—સૌ કરતાં વિચારવા ચેાગ્ય વાત તા હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગ દશા રહે એમ બનવું અત્યંત કઠણુ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ અનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તે આત્મામાં જેટલું અસંપૂર્ણ”—અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા ચેાગ્ય છે.' શ્રીમદ્ આવા ઉત્કૃષ્ટ જ્ઞાનીની કેાટિમાં છે, એટલે જ માહ્ય ઉપાધિ મળ્યે પણ આવી વિકટ સમાધિ જાળવવી શકય બની; ચારે કાર ઉપાધિરૂપ અગ્નિની જ્વાલા પ્રજ્વલતી હેાય ને ઊની આંચ ન આવે એવી સમાધિ રાખવારૂપ આ વિકટમાં વિકટ કા શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનીને સંભવિત બન્યું. શ્રીમનું આ અનુભવસિદ્ધ વચન સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૨૪, ૧૯૪૮ માહ વદ ૪) તેની લિખિત સાક્ષી (Documentary evidence) પૂરે છે ચેાતરફ ઉપાધિની વાલા પ્રજવલતી હોય તે પ્રસ`ગમાં સમાધિ રહેવી એ પદ્મ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યાં જ કરે છે, એવા અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.’ પેાતાને પણ આશ્ચય થઈ આવે છે એવી આ વિકટ વાત શ્રીમદ્દે અનુભવસિદ્ધ કરી હતી એ આ અમૃત પત્રથી સ્વયં સિદ્ધ થાય છે. વમાનયુગના આ ‘દુષ્કરદુષ્કરકારકે? આ પરમ દુષ્કર કાય પ્રયાગસિદ્ધ કરી દેખાડયું એ સિદ્ધ હકીકત (absolute fact, reality) છે. આ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી ! જેવું તેવું આત્મપરાક્રમ નથી! જેવા તેવા રાધાવેધ’ નથી! સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૫૦૦, ૧૯૫૧ જેટ શુઇ ૨) શ્રીમદે લખ્યું છે તેમ-પરપરિણતિનાં કાય કરવાના પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.’- ધાર તરવારની સાહલી દેહલી, ચૌદમા જિન તણી ચરણુસેવા; ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.’—આવું તરવારની ધાર પર ચાલવા કરતાં–મહાદુલ ભ મહાપરાક્રમ તે મહાજ્ઞાની શ્રીમદ્ જેવા કોઈ વિરલા સમથ ચેાગી પુરુષ જ કરી શકે !
અ-૪૯