________________
૩૮૪
અધ્યાત્મ રાજચંદ્ર આ સંસારની રચના છે. X x અમે તો તે ઉપાધિજોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ; અને તે તે જગે હૃદયમાં અને મુખમાં મધ્યમા વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યકત્વને વિષે અર્થાત બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામને અનવકાશ થાય છે, એમ તે સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણીવાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવા; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે
દવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે, અને તે જ ભજવો છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુંઝવણ સમાપ્ત થતી હતી.”
આમ આવા પરમ સમર્થ સમાધિ સ્થિત પુરુષને વ્યવહારપ્રવૃત્તિ પણ બાધક થઈ શકે એમ ન હતું, તે પણ શ્રીમદ્ તે તેની નિવૃત્તિ ક્યારે થાય તેને નિરંતર જાપ જપતા હતા અને નિવૃત્તિ જ ઈચ્છતા હતા, છતાં તેવા પ્રારબ્ધની નિવૃત્તિ ન થાય ત્યાંસુધી વ્યવહારપ્રવૃત્તિ ભજતાં સમચિત્ત સ્થિતિ જ રાખી સમાધિ ધરતા હતા. શ્રી લલ્લુછ મુનિ પરના પત્રમાં (અં. ૫૦૦, ૧૯૫૦ હૈ. શુ. ૯) શ્રીમદે લખ્યું છે તેમ-“અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વતે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે, તોપણ વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. તે પ્રાધ્ધની નિવૃત્તિ થતાં સુધી તે વ્યવહારને પ્રતિબંધ રહે ઘટે છે, માટે સમચિત્ત થઈસ્થિતિ રહે છે. આમ શ્રીમદ્દ જેવા જ્ઞાની કાંઈ પ્રવૃત્તિને ઈચ્છે છે એમ નથી, નિવૃત્તિને જ ઈચ્છે છે, છતાં અનિવાર્યપણે વર્તતી આ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ કાંઈ સામાન્ય પ્રાકૃત જનની (Layman) પ્રવૃત્તિ જેવી નથી. આ અંગે શ્રીમદ્દ જાણે પૂર્વ ભવમાં અનુભૂત ભાવનું સ્મરણ કરતા હોય એ પ્રગટ ભાસ આપતા આ નિવૃત્તિઈચ્છક અનુભવસિદ્ધ વચન કૃષ્ણદાસ પરના પત્રમાં (અં. ૪૪૯, ૧૯૪૯ જેઠ શુ. ૧૧) લખે છે – જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતું નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જેગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. અને આ ઉદયપ્રાપ્ત અનિવાર્ય પ્રવૃત્તિમાં પણ પિતાને સમાધિ સ્થિતિ અવ્યાબાધ છે એમ સૂચવતાં શ્રીમદ આ જ આઠ પત્તાવાળા સુપ્રસિદ્ધ અમૃતપત્રમાં આ અનુભવવચન લખે છે –“જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાગ્ય છે માટે તેને અનુસરીએ છીએ; તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાથ્ય છે.”—અત્રે શ્રીમદે સાવ નિખુષ સ્પષ્ટ કર્યું છે કે પ્રારબ્ધાનુસાર જે પ્રવૃત્તિ ઉદયમાં છે, તે બીજે દ્વારેથી–પાછલા દરવાજેથી (Back-door) ચાલ્યા જતાં પણ છેડી ન છેડી શકાય એવી છે,–ભેગવ્યા વિના છૂટકો નથી–ભેગવ્યે જ છૂટકે છે એવી અનિવાર્ય છે. એટલે દવા ચગ્ય છે માટે તેને અનુસરે છે, તો પણ “અવ્યાબાધ—જરા પણ બાધા ન ઉપજે એવી અવ્યાબાધ સ્થિતિમાં–આત્મસમાધિસ્થિતિમાં “જેવું છે તેવું –