SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ ઉપાધિ મળે સમાધિ: અલોકિક “રાધાવેધ” તેને ખુલાસે થઈ જાય છે—“અમારે વિષે વર્તતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મન મળવા દેતા નથી.”–શ્રીમદને એટલે બધે ઉત્કૃષ્ટ પરમ વૈરાગ્ય વર્તે છે કે તે વ્યવહારને વિષે ક્યારેય—કેઈ પણ વેળા ક્ષણ પણ મને મળવા દેતે નથી, વ્યવહાર સાથે મનનું મિલન થવા દેતા નથી. આનો અર્થ એમ થશે કે એમનું મન વ્યવહારમાં રહ્યું જ નથી, વ્યવહારથી ઊઠી જ ગયું છે, તે ત્યાં કેમ ચેટે ? આસક્ત હોય તે ચેટે, અનાસક્ત હોય તે કેમ ટે? અને વિરક્ત હોય તે આસક્ત કેમ હોય? એક આત્માને જ જેને રંગ લાગે છે એવા શ્રીમદ્દ ભાવથી સર્વ સંગથી અસંગ જ રહ્યા છે, જલમાં કમલ રહ્યું છે છતાં જલને સંગ કરતું નથી, તેમ આ પુરુષવરપુંડરીક રાજચંદ્ર સંસારઉપાધિ પ્રસંગમાં રહ્યા છતાં તેને લેશ પણ સંગ નહિં કરતાં અસંગ જ રહ્યા છે–રહી શક્યા છે એ પરમ આશ્ચર્યકારક છે! ખરેખર ! પરમ વૈરાગ્યમત્તિ શ્રીમદની પરમ અનાસક્તિ–પરમ વિરક્તિની પરમ આશ્ચર્યકારક પરાકાષ્ઠા તે આ રહી—અનાસક્ત અને વિરક્ત શ્રીમદ્દનું ચિત્ત વ્યવહારઉપાધિપ્રસંગમાં પણ એટલું બધું મુક્ત વતતું હતું કે તેવું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું! એની સાક્ષી એમના સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૪૦૦, ૧૯૪૮ શ્રા. વદ) પ્રાપ્ત થાય છે— ચિત્તને વિષે જેવું આ ઉપાધિ આરાધીએ છીએ ત્યારથી મુકતપણું વર્તે છે, તેવું સુકાપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું રહેતું; એવી નિશ્ચી દશા માગશર સુદ ૬ થી એકધારાએ વતી આવી છે. આમ ૧૯૪૮ના માગ. શુ. ૬ થી ઉપાધિગ ઓર વધતો ગયે છે તેની સામે આત્મસામર્થ્યગી આત્મપરાક્રમી શ્રીમને સમાધિગ એકર જોરથી વધતે ગયે છે. અને તે ઉપાધિયોગ પણ કે? “ભગવત્ કૃપા ન હોય તે માથું ધડ પર રહેવું કઠણ થાય એ જ્ઞાનીને અને સંસારને “મળતી પાછું આવે નહિં,—કદી પણ મેળ ખાય નહિં–મેળ મળે નહિં એમ પરમ આત્મજ્ઞાની શ્રીમદ્દને અધિક નિશ્ચય કરાવે એવે. આવા વિચિત્ર વિષમ ઉપાધિગમાં “હુદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી” શ્રીમદ જેવા પરમ ચોગીશ્વર “માંડ” સ્થિર રહી શક્યા છે, અને આ ઉપાધિગથી ત્રાસી જઈઆકુળવ્યાકુળ થઈ જઈ તેથી નાશી છૂટવાને વારંવાર વિચાર કરી રહ્યા છે, પણ ઉપાર્જિત કર્મ ‘સમપરિણામે અદીનપણે અવ્યાકુળપણે દવા ગ્ય છે એવા જ્ઞાનીના માર્ગને ચિત્તસમાધાન રાખી સ્થિરપણે અનુસરી રહ્યા છે. અને તેવા પ્રકારે સહૃદયના હદય વલવી નાંખે એવા આ વેધક વચન શ્રીમદે પોતાના પરમાર્થ સુહદ સૌભાગ્ય પરના આ અમૃતપત્રમાં (અં. ૪૬૫, ૧૪૮ શા. વદ ૫) લખ્યાં છે – ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસ પર્યતમાં ઘણા પ્રકારને ઉપાધિગ દવાનું બન્યું છે. અને જે ભગવતકૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે; અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એ અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં કવચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy