________________
અધ્યાત્મ રાજચંદ્ર
કાળ-મહાસાગરના વિશાળ તટના પટની રેતી પર અનંત પગલાં પડયાં છે અને ભૂંસાઈ ગયાં છે. માત્ર વિરલ વિભૂતિઓના પગલાંની ટકેલ્કીર્ણ મુદ્રાજ-છાપજ ચિરકાળ સ્થિતિ કરવાને સમર્થ થાય છે. વિશ્વની વિશાળ રંગભૂમિ પર (arena of world-stage) વિવિધ આત્મ-પાત્રો પોતપોતાનો ભાગ ભજવવા આવે છે અને જાય છે. તેમાં કેઈનું નામનિશાન પણ રહેવા પામતું નથી, કોઈનું નામ થોડે વખત ચમકીને સ્વલ્પજીવી રહી કાળની અનંતતામાં વિલીન થઈ જાય છે. કોઈ ઐહિક કલ્યાણકારી યશસ્વીઓનું નામ ચિરકાળપયત-લાંબા વખત સુધી સ્મરણીય એવું ચિરંજીવ બને છે, અને કેઈ પરમ પરમાર્થ કલ્યાણકારી વિરલ વિભૂતિઓનું પ્રાતઃસ્મરણીય પુણ્ય નામ એમના વિશ્વકલ્યાણકર કામને લઈ શાશ્વત ચશનું ધામ બની આકાલપ્રતિષ્ઠ રહેવાને–કાળના અસ્તિત્વ પર્યત સ્થિતિ કરવાને સર્જાયેલું હોય છે. શ્રીમદ રાજચંદ્ર વિશ્વની આવી વિરલ વિભૂતિએમાંના એક છે. આવી જાપાવનકર વિરલ વિભૂતિ માટે જરૂર ગાઈ શકાય કે–
જગ પાવનકર તે અવતર્યા,
અન્ય માત ઉદરનો ભાર....જીવ્યું ધન્ય તેહનું. જાણે સંત સલૂણા તેહને,
જેને હોય છેલ્લો અવતાર........જીવ્યું ધન્ય તેહનું.”
ભારતને તિર્ધર અપ્રતિમ પ્રતિભાથી શોભતા રાજચંદ્ર,
અમૃતમયી પ્રસારી જ્ઞાન-જમ્ના સુઈદે– (સ્વરચિત) સંત-તત્ત્વની ભૂમિ તરિકે આ ભારતભૂમિ પ્રસિદ્ધ છે. આ પુણ્યભૂમિ ભારતમાં અનેક સંત-મહંતો અને ભક્તોએ જન્મ લીધો છે. આ પવિત્ર ભૂમિ પર ગોવિંદ ગીતા ગાઈ છે. આ જ પવિત્ર ભૂમિ પર બુદ્ધ દયામય-કરુણામય બે પ્રકાર છે. આ જ પવિત્ર ભૂમિ પર “મા હણ! મા હણ!” ઉપદેશનારા મહાવીરે “અહિંસા પરમો ધર્મ ને દિવ્ય વનિ ગજાવ્યા છે. અત્રે જે અલૌકિક સાધુચરિત સંતપુરુષનું દિવ્ય આત્મજીવન વર્ણવવાને ઉપક્રમ કરાય છે, તે દિવ્ય દ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્ર પણ આ જ પુણ્યભૂમિને પિતાના જન્મથી પાવન કરી ગયા છે. આવા અલૌકિક સંતના પરમ અદ્દભુત આત્મચારિત્રમય આત્મચરિત્રને માત્ર સ્થળ ઉપરછલે જ ખ્યાલ જ આપી શકાશે, એવા પૂરા ભાન સાથે આ પુણ્યશ્લોક પુરુષનું ચરિત્ર સંકીર્તન કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું.