SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની વિરલ વિભૂતિ અવસ્થા પ્રત્યે ન હેા, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હેા, અન્ય આધિ પ્રત્યે ન હેા, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હાય છે, તે જ્ઞાન સર્વ જીવા પ્રત્યે પ્રગટ હા, અનવકાશપણે સ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હા, એવા જેના કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સ`પ્રદાય સનાતન સત્ પુરુષાને છે.'—શ્રીમદ્ રાજચંદ્ર, અ. ૬૩૭, ૬૯૩, ૩૫૫ અને આવા વિશ્વકલ્યાણભાવનારા નિષ્કારણકરુણારસસાગર હૈાવાથી, તેમજ દિવ્ય આત્મગુણુસ પન્ન-જ્ઞાનશ્રીસંપન્ન સાક્ષાત્ જ્ઞાનાવતાર હેાવાથી, શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુ દેવ ’અને ‘શ્રીમદ્’આદિ ખરેખરા અર્થમાં યથા ગુણનિષ્પન્ન નામને પામ્યા હતા. આવા વિશ્વકલ્યાણદર્શી ‘પરમ કૃપાળુ’ શ્રીમનું આત્મસ્પર્શી જીવન અને કવન વિશ્વમાં કાઈ પણ આત્માને સાચા આત્મકલ્યાણના માર્ગે ચઢાવી પરમ કલ્યાણકર થઈ પડે એવું છે. આજે જગત્માં ભલે જડવાદના પવન જોરશેારથી ચાલી રહ્યો છે, પણ ગમે તેવા જડવાદીને પણ શ્રીમનું (આત્મ) જીવન એક ખુલ્લા પડકારરૂપ( open challenge ) છે, અને આત્માને નહિં માનનારા ગમે તેવા નાસ્તિકને પણ આત્માની પ્રગટ પ્રતીતિ કરાવી આસ્તિક અનાવે એવું અપૂર્વ દૈવત ધરાવે છે. અને શ્રીમદ્ભુનું કવન તેા આત્માના અગાધ ઊંડાણમાંથી સહજ સ્વભાવે સ્કુરિત થતું આત્માનુભૂતિમય હાવાથી વિશ્વના કોઈ પણ આત્માના અંતને સ્પર્શી જાય એવું આત્મસ્પર્શી છે. કારણકે મત-દનસ`પ્રદાય આદિના આગ્રહથી પર વિશ્વગ્રાહી વિશાલ દૃષ્ટિવાળા યાગીશ્વર શ્રીમદ્દે સત્ર આત્માની મહાગીતાનું જ દિવ્ય સંગીત ગાયું છે, અને સર્વાંત્ર શુદ્ધ આત્માના-આત્મકલ્યાણુના ઉપદેશને જ ડિંડિમ નાદથી ઉદ્ઘાષ કરી, માના આદિ વિષનું વમન ધા વિરેચન કરાવી પદે દે આત્મા અમૃતપાન જ કરાવ્યુ` છે, અને એટલે જ શ્રીમદ્ ઉપદેશ મતદર્શન-સંપ્રદાય-વાડા-જાતિ આદિના ભેદ વિના સ` કાઇને ગ્રાહ્ય થઈ શકે એવા સા જનિક છે—સાનિક તી રૂપ અમૃતસરોવરસ્વરૂપ છે. શ્રીમનું જ વચનામૃત છે કે— 6 જાતિ વેષના ભેદ નહિં, કહ્યો માત્ર જે હેાય; ભેદ ન કાય. સાધે તે મુક્તિ લહે, એમાં જે ગાયા તે સઘળે એક, સકળ દ ને એ જ વિવેક; સમજાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.’ અને આવા સપ્રદાયથી પર, વિશ્વગ્રાહી વિશાલ દૃષ્ટિવાળા જગદ્ગુરુ કાંઈ એકલા ભારતના જ નથી, પણ સમસ્ત વિશ્વના છે. કારણકે સાચા તત્ત્વજ્ઞાનીઓને મત-દશ નના આગ્રહ કે વિકલ્પ હાતેા નથી, તેઓ તેથી પર એવા સર્વીસમન્વયકારી હોય છે. આ મહાત્મા તત્ત્વદષ્ટાએ! સમસ્ત વિશ્વને પેાતાના કુટુબરૂપ-પેાતાના આત્મબ'રૂપ માને છે. એવા તે વિશ્વવત્સલ હેાય છે, ફાચરિતાનાં તુ વસુધૈવ જુદુમ્યમ્ / એટલે સમસ્ત વિશ્વ એમનું છે, ને એ સમસ્ત વિશ્વના છે. આમ વિશ્વના શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનીઓની પ્રથમ પંક્તિમાં બિરાજવાનુમાન આ ભારતના જ્યોતિĆર શ્રીમદ્ રાજચંદ્રને પૂરેપૂરૂ ઘટે છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy