________________
ભારતને જાતિધર શ્રીમને જન્મ સંવત્ ૧૯૨૪ ના કાર્તિકી પૂર્ણિમાના દિને (૧૮૬૭ ના નવેંબરની ૯મી તારીખે) વવાણુઆ-મોરબી ગ્રામ મધ્યે થયો હતો ને તેમને દેહત્સગ સંવત્ ૧લ્પ૭ ના ચૈત્ર વદ પંચમીના દિવસે (૧૯૦૧ના એપ્રિલની લ્મી તારીખે) રાજકેટમાં થયો. તેત્રીશ વર્ષની ભરયુવાન વયે જ એમની દિવ્ય જીવનલીલા સંકેલાઈ ગઈ. પરંતુ એટલા ટૂંકા ગાળામાં પણ ભારતના આ મહાન તત્ત્વજ્ઞ, જગને ઘણું આપી ગયા છે; ભારતના જ્યોતિર્ધર આ રાજચંદ્ર અપૂર્વ જ્ઞાન–ચંદ્રિકા વર્ષાવી દિવ્ય તત્ત્વપ્રકાશ રેલાવી ગયા છે. તેત્રીશ યુગથી પણ ન થાય તેટલું કામ તેઓ તેત્રીશ વર્ષમાં કરી ગયા છે, અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા છે, પરમ આત્મકલ્યાણ સાધી આત્મકલ્યાણને સાચો રાહ બતાવી જગત્ પર અપાર ઉપકાર કરી ગયા છે.
આવા આ શ્રીમદ્દ ભારત અવનિને પાવન કરી ગયેલા પુષ્યલોક સાધુચરિત સત્પુરુષ થઈ ગયા. ભારતના તત્ત્વજ્ઞાન-ગગનાંગણમાં ઊગેલા આ ભારતના
તિર્ધર “ રાજચંદ્ર” અખિલ વિશ્વમંડલમાં પરમશાંતસુધારસમયી દિવ્ય જ્યોતિ વિસ્તારી ગયા. ભારતના અને વિશ્વના મહાન તત્ત્વજ્ઞાનીઓની મહામંડલીમાં જેનું વિશિષ્ટ ગૌરવભર્યું સ્થાન સર્વદાને માટે સુવર્ણાક્ષરથી અંકિત છે, એવા શ્રીમદ્ રાજચંદ્રજી વલ્તમાન યુગના એક પરમ અલૌકિક સંત પુરુષ થઈ ગયા. આવા સહસમુખ પ્રતિભાથી શોભતા શ્રીમદ્ રાજચંદ્રને ઓળખાવવા કે આલેખવા પ્રયત્ન કરે તે તેજેનિધિ ભાસ્કરને ઓળખાવવા દીપક આગળ ધરવા બરાબર છે.
તથાપિ અત્રે પ્રારંભમાં એટલું તે કહેવું યોગ્ય છે કે શ્રીમદ્દ એક ઉચ્ચતમ કોટિના સત્પુરુષ-મહતુપુરુષ થઈ ગયા. પણ ઘણી વખત એવું બને છે કે દુનિએ પોતાના મહાનમાં મહાન પુરુષોને ખાસ કરીને તેમના જીવનકાળમાં ઓળખતી નથી અને પાછળથી તેના નામને પૂજે છે! જીવતાં પાણું મારે ને મૂઆ પછી પણ પૂજે ! “શિવજી ચલા ગયા, ભભૂત લગાઓ !” અથવા “The world is fifty years behind“દુનિયા પચાશ વર્ષ પાછળ છે” એ ઉક્તિ પણ અત્ર લાગુ પડે છે. એટલે કે મહાત્મા પુરુષ એટલી બધી ઉચ્ચ કક્ષાએ–દશાએ પહોંચેલા હોય છે, અને એમના આદર્શ—સંદેશ એટલા બધા ઉદાત્ત અને ઊર્ધ્વગામી હોય છે કે અપેક્ષાએ ઘણી પછાત એવી જનતા તેને તત્કાળ ઝીલી શકવાને અસમર્થ હોય છે, તથારૂપ યોગ્યતાવાળી હોતી નથી. એટલે શ્રીમદ જેવા અધ્યાત્મદશાની પરાકાષ્ઠાને પામેલા પરમ મહત્ સતપુરુષને તેમના સમયમાં કે પછી પણ બહિર્દષ્ટિ લોકે યથાર્થ સ્વરૂપે પીછાની ન શક્યા હોય તે તેમાં આશ્ચર્ય નથી; પણ સુભાગ્યે હવે કંઈ કંઈ પછાન થતી જાય છે એ શુભ ચિહ્ન છે, અને તે તેમના પિતાના જ હિતમાં છે. જેમ જેમ આ મહાત્માની યથાર્થ પીછાન–ઓળખાણસ્વરૂપદર્શન થતું જશે, તેમ તેમ તેમના પરમ ઉપકારનો જનતાને પરિચય થતો જશે, અને તે માટે બીજા કોઈને પ્રમાણપત્રની કે સફારસની જરૂર નથી, માત્ર તેમના વચનામૃતનું મધ્યસ્થ ભાવે અવલોકન-અવગાહન જ આ માટે પર્યાપ્ત છે. અસ્તુ!
આ જાહેરાતને-પ્રસિદ્ધિને જમાને છે, ભલભલા મહાત્માઓ પણ પ્રસિદ્ધિની