SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ મધ્યે સમાધિ : અલોકિક રાધાવેધ ૩૮૧ છે એવાં કાઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજી યુવાવસ્થાના પહેલા ભાગવતે છે, તથાપિ એ કેાઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક માટું આશ્ચય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે. કાઈ પ્રકારના લેાકપરિચય રુચિકર થતા નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયાગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.’ સ્મરણ આ પેાતાની આત્મદશાનું તાદૃશ્ય સુંદર શબ્દચિત્ર રજૂ કરતા પત્ર પરથી સમજાય છે કે બાહ્ય ઉપાધિ શ્રીમદ્નની આત્મસમાધિને લેશ પણ ખાધક ન થઇ શકી, ચાવીશ-પચીશ વર્ષની ભરયુવાન અવસ્થામાં વત્તતાં પણ શ્રીમને કાઇ પણ સાંસારિક ઇચ્છાના આત્મભાવે સ્પેશ લેશ પણ ન્હાતા થતા, – પેાતાને પણ મેાટું આશ્ચય લાગે એવી અદ્ભુત નિષ્કામ દશા વત્તતી હતી; તે તે સાંસારિક પદાર્થોની પ્ર.સિ–અપ્રાપ્તિ અન્ને સમાન જાણતા શ્રીમદ્નને અવિકલ્પ સમાધિ જ અનુભવાતી હતી; શ્રીમદ્ભુનું મન તે વનમાં જ હતું અને તન સંસારમાં હતું, એટલે અવ્યવસ્થિત દશાએ ઉપાધિચેાગમાં રહ્યા રહ્યા તે ખરી રીતે તે એક અવિકલ્પ સમાધિનું જ કરતા હતા—ચિંતન કરતા હતા, રુચિ પણ એની જ ધરતા હતા અને કામ પણ આ એક અવિકલ્પ સમાધિનું જ કરતા હતા! જગત્ જાણે કે આ ઉપાધિ કરી રહ્યો છે, પણ આ ચેાગી તે સમાધિ જ ધરી રહ્યો છે! કાયંત્રની પૂતળીએના નૃત્યની જેમ પૂર્વ પ્રારબ્ધાનુસાર વર્ત્તતા જાણે યાગમાયા પ્રગટ કરતા હાયની ! યંત્રની પૂતળીએ જેમ દોરીસ ંચારથી નાચે છે, તેમ સત્ર નિરિચ્છ એવા આ જ્ઞાનીપુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે, એટલે જ યશોવિજયજીએ અધ્યા ભંસારમાં કહ્યું છે તેમ-આવા લેાકમાં વતા જ્ઞાની ચેાગીની પ્રવૃત્તિએ કાયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હાઈ તેમને બાધાથે થતી નથી,’ અર્થાત્ અબાધ જ હોય છે. આવી અવિકલ્પ સહજ સમાધિરૂપ ચેાગદશાને લઇ શ્રીમનું મન વ્યવહારમાં ચાંટતું નથી, એ વસ્તુના નિર્દેશ કરતાં શ્રીમદ્ સૌભાગ્યને ૧૯૪૮ ફ્રા. વદ ૦))ના ને પત્રમાં (અ. ૩૪૭) લખે છે... આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિના જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વત્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી ઘેાડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિોગ વિશેષપણે વર્તે છે. XXX હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તેા પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઇએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં tr दारुयंत्रस्थपांचाली नृत्यतुल्या प्रवृत्तयः । 22 योगिनो नैव बाधायें ज्ञानिनो लोकवर्तिनः ॥ —શ્રી અધ્યાત્મસાર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy