________________
અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદને ઉપાધિ મળે પણ કેવી સમાધિ વર્તતી હતી તે માટે તેમના જ પત્રમાં સ્થળે સ્થળે આવતા સ્વયંભૂ અનુભવદ્ગારે જ સાક્ષી છેઃ પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. (સં. ૨૩૮). સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિગ વર્તે છે. (અં. ર૪૩). અત્ર સમાધિ છે, બાહ્યોપાધિ છે (અં. ૩૬૪). અત્ર સમાધિ છે, બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. (અં. ૩૬૫). ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધ રહે છે. (અં. ૩૬૭). અત્ર ભાવ પ્રત્યે તે સમાધિ છે, અને બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ વર્તે છે. (અં, ૩૭૧). અત્ર પ્રવૃત્તિ ઉદયે સમાધિ છે. (અં. ૪૩૦). અત્ર સમાધિપરિણામ છે, તથાપિ ઉપાધિને પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયગ હોવાથી નિકલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. (૪૨૮). અમારૂં મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારને રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિગ વેદવા પડે છે. જો કે વાસ્તવ્યપણે તે સમાધિપ્રત્યયી આત્મા છે. (અં. ૪૬૩). ઇત્યાદિ.
આ ન ખમી શકાય એવી અસહ્ય ઉપાધિ અંગે શ્રીમદ્ ૧૯૪૮ ના માંગ. શુદ ૧૪ ના પત્રમાં (અં. ૩૦૮) સૌભાગ્યને પોતાનું આત્મસંવેદન–આત્મવેદના લખે છે, -શ્રી સહજ સમાધિ. અત્ર સમાધિ છે ૪૪ અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તે ય સહન કરીએ છીએ. પરમાણુમાત્ર પણ ઉપાધિ સહન ન કરી શકે એવી અસંગ દશા છતાં શ્રીમદે આટલી બધી અસહ્ય ઉપાધિ સમતાથી સહન કરી તે તેમની અસાધારણ સહનશીલતા દાખવે છે, એટલું જ નહિ પણ સમાધિ તેમની કેવી સહજ સ્વભાવભૂત બની ગઈ હશે તે દર્શાવે છે. સમાધિના આત્યંતિક અભ્યાસ વિના આવી સહજ સમાધિ સંભવે નહિ. અર્થાત્ શ્રીમદે આ સમાધિને એટલે બધે આત્યંતિક અભ્યાસ કર્યો હતો કે તેઓ સાક્ષાત મૂર્તિ માન સહજ સમાધિરૂપ બની ગયા, એટલે જ આવી અગ્નિપરીક્ષા જેવી ઉત્કટ ઉપાધિ મળે પણ તેમને સહજ સમાધિ સહજ-નિઃપ્રયાસપણે (without effort) વર્તાતી હતી, અને તેનું માર્મિક સૂચન આ ટૂંકા અર્થગંભીર પત્રના મથાળે મૂકેલ “સહજ સમાધિ' શબ્દથી કર્યું જણાય છે. આવા અવિક૯પ સહજ સમાપિસ્થિત જ્ઞાની સત્પરુષને ઉપાધિ પણ બાધા ન ઉપજાવે એવી અબાધ હોય છે, ઉપાધિ પણ સમાધિ જ હોય છે. આ અંગે શ્રીમદ પોતાનું આત્મસંવેદન સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૨૯, ૧૯૪૮, માહ વદ ૮) દાખવે છે–
અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જો કે કઈ મહાન શ્રીમતપણું ભગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પિતાનાં ગણાય