SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ એકસઠમું ઉપાધિ મધ્યે સમાધિ: અલૌકિક “રાધાવેધ ધાર તરવારની સોહલી, દેહલી ચૌદમા જિન તણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા”–શ્રી આનંદઘનજી આ આવી ઉપાધિ મળે પણ શ્રીમદને તે સમાધિ જ હતી. બાહ્ય નિરુપાધિ ત્યાગઅવસ્થામાં મહામુનીશ્વરને પણ જે આત્મસમાધિ જાળવવી પરમ દુષ્કર–પરમ દુર્લભ, તે ઉપાધિપ્રસંગ મધ્યે પણ શ્રીમદે જાળવી એ જ અદ્દભુતાદદ્ભુત છે! આવું દુષ્કરમાં દુષ્કર કાર્ય “દુષ્કરદુષ્કરકારક” શ્રીમદે કરી દેખાડવું એ જ પરમ આશ્ચર્ય કારક છે. તરવારની ધાર પર નાચવું સહેલું-સુલભ છે, પણ ચરણુધારા પર સ્થિર રહેવું એ દેહલું છે–દેવોને પણ દુર્લભ છે. “ધાર તરવારની સોહલી.”—એ ચરણધારા પર સ્થિર રહેવાનું અદૂભુત આત્મપરાક્રમ શ્રીમદે કરી દેખાડયું એ જ પરમ આશ્ચર્યનું પરમ આશ્ચર્ય છે. આ તે ખરેખર ! શ્રીમદે કેઈ અલૌકિક “રાધાવેધ સાધ્યો છે. લૌકિક કથામાં રાધાવેધ સાધવાની વાત આવે છે; રાધાવેધ સાથે તેને સ્વયંવરસુંદરી સ્વયં વરે છે. ચક્ર ઉપર ચક્ર ગોઠવેલા છે, તે ચક્રો ઉલટસુલટ દિશામાં ગતિમાન છે–ફર્યા કરે છે. તેની ઉપરમાં “રાધા–પૂતળી છે. તેની ડાબી આંખની કીકીને નીચે ઊભેલા બાણાવળીએ નીચે પાણીમાં પડતા પ્રતિબિંબ પ્રત્યે દષ્ટિ રાખી ઉપરમાં તે ગતિમાન ફરતા ચક્રો સેંસરું બાણ નાખીને વિંધવાની છે! કેટલું બધું વિકટ-કેટલું બધું દુર્ઘટ કાર્ય! તે રાધાવેધ સાધનારનું કેવું પરાક્રમ! આ લોકિક રાધાવેધના પરાક્રમ કરતાં અનંતગુણવિશિષ્ટ અલૌકિક આત્મપરાક્રમ મહા વીરપુરુષ શ્રીમદે દાખવ્યું છે, અલૌકિક આધ્યાત્મિક રાધાવેધ સાધ્ય છે, ને એમને જીવન્મુક્તિ-સુંદરી સ્વયં વરી છે. આ આધ્યાત્મિક રાધાવેધ શું છે? કયો છે ? સમયસાર& ગા. ૩૦૪-૩૦૫માં રાધરાધા શબ્દને અદ્ભુત અર્થ કર્યો છે, તે પ્રમાણે રાધ, સાધ્ય, સંસિદ્ધિ-સિદ્ધ-સાધિતઆરાધિત એ શબ્દો એકાÉવાચક છે. એટલે પરદ્રવ્યપરિહારથી શુદ્ધ આત્માની સિદ્ધિ વા સાધન તે રાધ છે.” વ્યવહારઉપાધિ મળે પણ સમાપિસ્થિત શ્રીમદે આ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ રાધને–રાધાને વીધી અલૌકિક અધ્યાત્મિક રાધાવેધ સાધ્યો છે. જોકે એમ જાણે છે કે આ ઉપાધિમાં બેઠો છે, પણ આ તો ઉપાધિમાં બેઠો બેઠે ફટિક જેવા સ્વચ્છ અંતરાત્મામાં-હૃદયમાં પડતા શુદ્ધાત્મપ્રતિબિંબ પ્રત્યે દષ્ટિ ઠેરવી વ્યવહારના વિષમ ઉલટસુલટ ગતિમાન ચક્રો સેંસરૂં સમાધિ-બાણ નાંખીને આત્મસિદ્ધિ-રાધાને વીંધે છે! એ મહાપરાક્રમ કેઈ વિરલે જ કરી શકે છે; અને ઉપાધિ મધ્યે પણ સમાધિ સાધનારો શ્રીમદ્દ તે વિરલે છે; એ અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે. • संसिद्धिराधसिद्ध साधियमाराधियं च एयर्से ।। अवगयराधो ओ खलु चेया सो होई अवराधो । जो पुण णिरवराधो चेया णिस्संकियो उ सो होइ । आराहणाए णिचं बद्देइ अहंति जाणंतो ॥" –સમયસાર ગાથા ૩૦૪-૩૦૫
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy