SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ અધ્યાત્મ રાજથવું હોય તે પ્રકારે હાલ તેા વીએ છીએ, અને એમ વર્તવું કેઇ પ્રકારે તા સુગમ ભાસે છે. ×× મીજી તેા કઇ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કાઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તેા અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ-તમરૂપ સત્સંગની સ્પૃહા વતે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચ રૂપ વાત ક્યાં કહેવી ? આશ્ચય થાય છે. આ જે દેહ મળ્યા તે પૂર્વે કાઇ વાર મળ્યા નહેાતા, ભવિષ્યકાળે પ્રાસ થવા નથી. ધન્યરૂપ-કૃતા'રૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિોગ જોઈ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જો સત્પુરુષનું આળખાણુ પડ્યું નથી, તે તે આવા ચેાગનાં કારણથી છે.’–આ વેધક વચના જ્ઞાનીને એળ ખવામાં બ્રાંતિ પામનારા જગતને તેવી ભૂલ નહિં કરવાનું કેવું માર્મિક આહ્વાન કરે છે ! તાત્પર્ય કે–જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉડ્ડય આવે તે તે વેઢન કરવું એ જ્ઞાની પુરુષાનું સનાતન આચરણ શ્રીમદ્ અનુસર્યાં છે, અને તે તે પ્રારબ્ધ ઉદયપ્રસંગમાં સાક્ષીભાવે–દૃષ્ટાભાવે વર્યાં છે, એ શ્રીમના અધ્યાત્મજીવનની અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે, અને તેના સાક્ષી સૌભાગ્ય પરના અમૃતપત્રના (અ. ૪૦૮, ૧૯૪૮ ભા. ૧૬ ૮) આ અમૃત વચના છે—જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાનીપુરુષાનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સસ્પેંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારનાકાની પ્રવૃત્તિને ઉદય છે, અને ઉડ્ડય અનુક્રમે વેન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કાઈ પણ પ્રકારની હાનિ–વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાનીપુરુષાનું પણ તે સનાતન આચરણ છે. ××× હાલ તા તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં ખીજા કોઈને સુખ, દુ:ખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લેાકપ્રસગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સ'સારને વિષે સાક્ષી કર્યાં તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.” આમ પ્રારબ્ધયેાગે વિચિત્ર વિષમ બ્રાંતિગત જગતના પ્રસ’ગમાં અવિષમ ઉદાસીન સાક્ષીભાવે વતાં કર્તાપણું નહિં છતાં કર્તાપણું ભાસ્યમાન થવા જેવી બેધારી તલવાર પર શ્રીમદ્ ચાલ્યા છે! આવું પરમ અદ્ભુત આત્મપરાક્રમ તે શ્રીમદ્ જેવા કઇ વિરલા અપવાદરૂપ (exceptional) અસાધારણ (Extraordinary) સમથ ચેાગી પુરુષ જ કરી શકે!
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy