________________
પ્રારબ્ધોદયજનિત વ્યવહારે પાધિ
૩૭૭ પરિગ્રહભાવ પામતો નથી.” અર્થાત ખરેખર પરમાર્થ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પૂર્વકર્મચગે કદાચ પરિગ્રહપ્રપંચમાં પડેલ બહારથી વ્યવહારથી દેખાતું હોય, તોપણ અંતર્થી નિશ્ચયે કરીને તે પરિગ્રહભાવને સ્પર્શતા જ નથી. કારણ કે સમયસાર ગાથા ૨૧૫માં કહ્યું છે તેમ “ઉદયભોગ ઉત્પન્ન થયો છે એવો તે જ્ઞાની નિત્ય તેની–તે ઉદયભોગની વિગબુદ્ધિએ કરી અનાગત–ભાવિ ઉદયની કાંક્ષા કરતા નથી.” આમ જિલ્લો અનાજ મારો wriી –જ્ઞાની અનિચ્છ-ઈચ્છારહિત હોય છે તેથી અપરિગ્રહ કહ્યો છે. અને શ્રીમદ્ તે ઉપર સ્પષ્ટ વિવરી બતાવ્યું તેમ પૂરેપૂરા અનિચ્છ-ઈચ્છારહિત છે–સ્વરૂપસ્થિત ઈચ્છારહિત છે,” એટલે પરિગ્રહપ્રપંચમાં વર્તાતા છતાં પરિગ્રહભાવને દૂરથી પણ
સ્પર્શતા નહિં હોવાથી ભાવથી અત્યંત અપરિગ્રહ રહ્યા છે, એ એમનું અદ્ભુત આત્મસામર્થ્ય સૂચવે છે. અજ્ઞાનીને જે આસવનું કારણ થાય છે, તે જ્ઞાનીને પરિસ્સવનું કારણ થાય છે, જે આવા જે સિવા–તે આનું નામ ! શ્રીમદ્દનું જ આત્મઅનુભવસિદ્ધ વચન છે કે-હત આસવા પરિસવા, ઇનમેં નહિ સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ. જ્ઞાનીએ એ દષ્ટિની ભૂલ સુધારી લીધી છે, એથી એની “ગત–ચાલ અજ્ઞાની કરતાં ઉલટી રીતિની છે–ઉલટી દિશાની છે, એટલે જ્ઞાનીપુરુષની પ્રવૃત્તિ સામાન્ય પ્રાકૃત જનની (Layman) પ્રવૃત્તિ જેવી હોતી નથી. આમ છતાં જ્ઞાની કાંઇ પ્રવૃત્તિને ઈચછે છે એમ નથી, નિવૃત્તિને જ ઈચ્છે છે. આ અંગે જાણે પૂર્વભોમાં અનુભૂત ભાવોનું સાક્ષાત્ દર્શનરૂપ સમરણ કરતા હોય એવા આ નિવૃત્તિઈચ્છક અનુભવસિદ્ધ અમૃતવચન શ્રીમદ્ કૃષ્ણદાસ પરના પત્રમાં (પત્રાંક ૪૪૯) લખે છે-“જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી, ઊના પાણીને વિષે જેમ અગ્નિપણને મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રે, વન, ઉપવન, જેગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે.” ઈત્યાદિ.
એટલે જ આત્મજ્ઞાન સમદર્શિતા જેને પૂરેપૂરા પ્રગટ્યા છે અને “સ્વરૂપ સ્થિત ઇચ્છારહિત’ જે થયા છે એવા જ્ઞાનાવતાર શ્રીમદ્દ “વિચરે ઉદય પ્રયોગ એ જ્ઞાનીની રીતિનું અનુસરણ કરવા તત્પર બન્યા છે; “ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું એ શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે (અં. ૪૩૫), તે શિરસાવંધ કરી તેમને “પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે છે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવાં એમ કરવું યોગ્ય લાગ્યું છે? (અં. ૩૨૯); અને એટલે જ “આત્માને વિષે વતે છે એવા જ્ઞાની પુરુષ સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે, XX સહજપણે પ્રાસ ઉદય ભોગવે છે' (અં. ૩૭૭),-એમ આ સહજ પરિણમી, સહજસ્વરૂપી સહજપણે સ્થિત સહજામસ્વરૂપસ્વામી શ્રીમદે સહજપણે પોતાની જીવનપ્રણાલિકા પ્રજી છે. અને એટલે જ શ્રીમદ્દ ૧૯૪૮ ના અશાડના પત્રમાં (અં. ૩૮૫) પરમાર્થસુહૃદુ સૌભાગ્યને માર્મિકપણે લખે છે–“જે પ્રકારે પ્રારબ્ધન કમ ઉદય અ–૪૮