SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ અધ્યાત્મ રાજચંદ્ર નિહુષ સ્પષ્ટીકરણ કરતાં શ્રીમદ્દ ૧૯૫૦ના ફા. શુ. ૧૧ના દિને અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૪૮૭) લખે છે–આટલી વાતને નિશ્ચય રાખ યોગ્ય છે, કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધકર્મ ભગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને અગત્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે, તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધને એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રીકૃષ્ણાદિક જ્ઞાની પુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભગવ્યાથી સંભવે છે.” આમ જ્ઞાનીનું પ્રારબ્ધ નિવૃત્તિરૂપે પણ હોય ને ક્વચિત્ પ્રવૃત્તિરૂપે પણ હોય; અને તે જ્ઞાનીનું પ્રારબ્ધ અજ્ઞાનીના પ્રારબ્ધ કરતાં સાવ જૂદું પડે છે; અજ્ઞાનીને પુનઃ બંધને હેતુ થઈ સંસારકારણ થાય છે, અબંધપરિણામી જ્ઞાનીને ઉદયભગ બંધને અહેતુ હોઈ નિર્જરાને હેતુ થાય છે. સમયસારકળશ ૧૬૧માં અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ—“ કેલ્કીણું સ્વરસથી નિચિત જ્ઞાન સર્વસ્વભાગ સમ્યગદષ્ટિનાં લક્ષણ સકલ કર્મને હણી નાંખે છે; તેથી તેને આ સતે પુનરપિ કમને જરા પણ બંધ છે નહિં, પણ પૂર્વોપાત્ત તે અનુભવતાં નિશ્ચિતપણે નિજર જ છે,' પૂજા તરનુભવતો નિશ્ચિત નિર્નવા વિચિત્ જ્ઞાનીની ઉદયભોગપ્રવૃત્તિ દેખી જ્ઞાનીને નહિં ઓળખનારા ને પોતાના કાટલે તોલી જ્ઞાનીને અન્યાય કરનારા અજ્ઞાનીજનોને જાણે પડકારતા હોય એમ આ અમૃતચંદ્રજી સમયસારકીશ ૧૪૬માં વીરગર્જના કરે છે–પૂર્વબદ્ધ પિતાના કર્મવિપાકથી જ્ઞાનીને જે ઉપભોગ હોય છે તે ભલે હો ! પણ રાગવિગને લીધે તે નિશ્ચય કરીને તેનો " टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः, सम्यग्दृष्टेयदिह सकलं नंति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बंधः, पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निजैरव ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યત સમયસારકળશ, ૧૬૧ " पूर्वबद्धनिजकर्मविपाकाज्ज्ञानिनो यदि भवत्युपभोगः ॥ तद्भवत्वथ च रागवियोगान्नूनमेति न परिग्रहभाव ॥" સમયસા૨કળશ, ૧૪૬ “ उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिचं । कंखामणागयस्स य उदयस्स ण कुम्वए णाणी ॥ अप्परिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे असणं । अप्परिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि ॥ एमादिए दु विविहे सव्वे भावे य णिच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥" સમયસાર ગાથા ૨૧-૨૧૪
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy