SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ અધ્યાત્મ રાજચંદ્ર જાણ્યા છતાં, વ્યવસાયને પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાને હેતુ થાય છે, તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા ગ્ય નહીં તે ખીએ છીએ.” (અં૫૧૪, ૧૫૦, શ્રા શુ. ૧૪). કઈ પણ સહૃદયના હૃદયને વીંધી નાખે એવી આ કેવી ઊંડી અંતર્વેદના છે! આમ સ્વેચ્છાથી નહિં પણ પછાથી જે પ્રવૃત્તિ છે એટલું જ નહિં પણ અત્યંત અનિચ્છાથી પરાણે પ્રવૃત્તિ છે, તે કેવલ પ્રારબ્ધદયજનિત જ હેવી સંભવે. કારણ કે શ્રીમદ્દ સૌભાગ્યને લખે છે તેમ–“ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. (અં.૩૨૯). અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ ઉદયપણે છે. (અં. ૩૮૬). પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે દવા સિવાય બીજો પ્રકાર નથી, અને એગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમપરિણામથી દવા ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વતે છે. (અ. ૪૨૧) સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તએ તે સારૂં, એમ કદાપિ ભાસે તોપણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણુ ઉદય જણાય છે.” (અં.૪૪૪). ઉદય વેદવા વિના છૂટકે નથી તે બા. અત્ર (નં. ૪૪૪) લખે છે–જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યોગે ઉણપણને તે ભજતું દેખાય છે, તે તાપને વેગ મટયેથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના ચોગથી છે. એમ આ પ્રવૃત્તિનેગ અમને છે, પણ અમારે તે પ્રવૃત્તિ વિષે હાલ તે વેવા સિવાય અન્ય ઉપાય નથી.” તેમ જ પત્રાંક ૫૮૬માં લખે છે–પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભેગચે ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધદય ભગવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપકવ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જે આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતચતા ન રહી તે ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષ જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે.” આ પ્રારબ્ધદય ભગવો એ કાંઈ દોષ નથી, છતાં તેમાંથી છૂટવાની કામના એ તે શ્રીમદને કેવળ ગુણ જ છે. આ પરમ નિર્દોષ પરમ ગુણમૂર્તિ પુરુષ ઉદય-ઉપાધિને હડસેલવા-હાંકી કાઢવા (ive out) ઈચ્છે છે, તે તેની અત્યંત અનાસક્તિ અને પરમ વિરક્તિ જ પ્રકાશે છે. છતાં પ્રારબ્ધોદય જ્ઞાનીને પણ ભોગવવા પડે છે, કારણ કે જ્ઞાનીને દેહ પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે અને જગજના કલ્યાણને અર્થે એમ બે કારણે જ વર્તે છે, ધારશીભાઈ પરના પત્રમાં (અં. ૩૭૩, ૧૯૪૮, વૈ. વ. ૧૮) શ્રીમદે અનુભવસિદ્ધ વચન લખ્યું છે તેમ-મહાત્માને દેહ બે કારણને લઈ વિદ્યમાનપણે વતે છે; પ્રારબ્ધકર્મ ભેગવવાને અર્થે, જેના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy