SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાાયજનિત વ્યવહારાપાધિ ૩૭૩ જે જીવને નિકટપણે મેક્ષ વતા ન હોય તે જીવ કેમ સમજી શકે ? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનના તા કઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયા છે.’ શ્રીમદ્નના ચિત્તમાં આમ કોઇ સંસારપ્રત્યયી ઇચ્છાની વાત તે દૂર રહેા, અત્યંત અનિચ્છા જ હતી, એટલું જ નહિં પણ પ્રતિક્ષણે તે માટે તીક્ષ્ણ ખેદ વેદાતા હતા અને તેથી છૂટવાના જ નિત્ય લક્ષ્ય રહેતા હતા, છતાં ‘ખારા લાગેલા’ સંસારમાં ‘પરાણે સ્થિતિ' કરવી પડી છે. આ અંગેનું તીવ્ર આત્મસ ંવેદન દાખવતા પત્રમાં (’. ૫૦૮, ૧૯૪૮ જેઠ ગુ. ૧૪) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારવાર ખેદ થાય છે જે, આવા ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્તો કરે તે સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવા પડે, અને જેમાં અત્યંત અપ્રમાઢાગ ઘટે છે, તેમાં પ્રમાયાગ જેવું થાય. કદાપિ તેમ નહીં તાપણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયાગ્યજણાતા નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે; તેને વિષે જરૂર સદ્વિચારવાન જીવને અલ્પ પશુ રુચિ થાય નહીં, એવા નિશ્ચય વર્તે છે. વાર ંવાર સ ંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાના બીજે કાઈ હેતુ જણાતા નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મેાટે ત્રાસ વતે છે, અને નિત્ય છૂટવાના લક્ષ રહે છે; તથાપિ હજી તેા અંતરાય સભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે.’ આમ સ'સાર જેને ખરો હું પણ 'ખા' લાગ્યા છે એવા શ્રીમદ્દ ખરી રીતે ભાવથી તે સંસારાતીત જ છે, રતિ માત્ર રતિ નહિં હાવાથી પરમ ભાવિવરિત જ છે. આવા પરમ વિરક્ત શ્રીમદ્ જેવા કુસુમ સમા પરમ કામલ હૃદયવાળા પુરુષને આ અગ્નિજવાલા જેવી કપરી ઉપાધિ ઊઠાવવી અત્યંત આકરી-અત્યંત વસમી લાગતી હતી; એને વેદવા જેટલું કઠિનપણું સ્વભાવમૃદુ શ્રીમમાં નહિં હાવાથી તેમાંથી નિવૃત્તિની ઇચ્છા વારંવાર તેમને થઇ આવતી હતી. ૧૯૪૯ના માગ. વદ ૯ ના પત્રમાં (અ. ૪૨૫) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે તેમ-ઉપાધિ વેદવા માટે જોઇતું કઠિન પણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાનું દુ:ખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે; અને તે દુઃખ પેાતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે; અને તે વિટંબના વિષે ચિત્ત કયારેક કયારેક ઉદ્વેગ પામી જાય છે. X X એ ઉદ્વેગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે.’ પરમ નિવૃત્તિને ચેાગ્ય એવા શ્રીમદ્ જેવા માર્દવમૂર્ત્તિ પરમ સાધુચરિત પુરુષને ગૃહસ્થને યેાગ્ય એવી આ વ્યવહારપ્રવૃત્તિમાં પડવું પડે એ કેટલું બધું આકરૂ લાગે છે–વસમું લાગે છે, તેનું કેવું તીવ્ર સંવેદન કુસુમ કરતાં પણ કામળ હૃદયવાળા શ્રીમદ્નના આ શબ્દોમાં દેખાય છે! આ ઉપાધિઉદય શ્રીમને કેટલા અસહ્ય થઇ પડ્યો છે તેની અંતર્વેદના શ્રીમના આ સ ંવેદનવનામાં પણ સ્પષ્ટ જણાય છે—‘ નિઃસારપણું અત્યંતપણે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy