________________
અધ્યાત્મ રાજચંદ્ર મૂકવા પ્રયત્ન કરતા હતા, તેમ તેમ તે ઉપાધિ વધતી જતી હતી, પંચ પણુ-જરા પણ ઘટતી ન હતી, જેમ જેમ તે હડસેલિયે, વધે ન ઘટે એક પંચ રે.”—એ “કારો— વિષમ વસમે અસહ્ય ઉદય થીમને આવી પડ્યો,–ત્યાં આવ્યું રે ઉદય કાર; અને તેની કારમી ચીસ-સહદના હૃદય ભેદી નાંખે અરે ! કઠોર વજહદય-પર્વતેમાં પણ ચીરાડ પાડી દે એવી કારમી ચીસ શ્રીમદ્દના અંતરાત્મામાંથી નીકળી ગઈ–
ત્યાં આવ્યું છે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે;
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચરે.......ધન્ય રે.” જ્યાં સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ રહેવાની પિતાની ઇચ્છા નથી એવા વ્યવહારપ્રપંચમાં આમ માત્ર પ્રારબ્ધદયને જ કારણે પરેછાથી શ્રીમદ્દને રહેવું પડયું એ ખરેખર! વિધિની વિચિત્રતા છે! પૂર્વે જણાવ્યું હતું તેમ કૌટુંબિક સંજોગાદિફરજ આદિ કારણે પરેચ્છાથી–સ્વેચ્છાથી નહિ-શ્રીમદને વ્યાપારવ્યવહારમાં ઝંપલાવવું પડ્યું, ભાગીદારીમાં જોડાયા, પોતે જ પ્રેરણા કરી રેવાશંકર જગજીવનની કમીશન એજન્સીની કંપની સ્થાપી, ત્યારે શ્રીમદની ધારણા એવી હતી કે જેમ બને તેમ ત્વરાથી આ વ્યવહારપ્રવૃત્તિ પતાવી નિવૃત્ત થઈ ત્યાગ લઈ પરમાર્થમાર્ગઉદ્ધાર કરશું. પત્રાંક ૩૦માં સૌભાગ્યને જણાવ્યું છે તેમ-જે ઉપાર્જિત કમ ભેગવતાં ઘણે વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તે તેમ થવા દેવા છે, એમ ઘણા વર્ષને સંકલ્પ છે. પણ તે વખતે યથાવસ્થિત વિચાર કર્યો નહિ, પૂર્ણ વિચાર વિના પ્રારંભ કર્યો, પછી અણધાર્યા સંજોગોને લઈ ધાર્યા કરતાં ઉપાધિ એકદમ વધી ગઈ અને તેમાંથી એકદમ નિકળવું મુશ્કેલ થઈ પડ્યું. વળી તેના પ્રારંભ વખતે ૧૯૪પના અંતભાગમાં શ્રીમદૂની જે પ્રારંભિક આત્મદશા હતી, તેના કરતાં અત્યારે તે-૧૯૪૭થી માંડીને સમયે સમયે અનેકગણી વધતી જતી હતી, એટલે તે ઉપાધિને હડસેલીને–ધકકા મારીને કાઢી મૂકવા ને તેમાંથી ઝટ છૂટવાની શ્રીમદની ઈચછા ઓર તીવ્ર બની, પણ પિતે જ પ્રેરેલી તે ઉપાધિમાથી એકદમ છટકવું તત્કાલ શક્ય ન હતું, કારણ કે અચાનક આંચકો આપી (Sudden shock) તેમ કરવા જતાં સાથે જોડાયેલા બીજાઓને–લાગતાવળગતાઓને તીવ્ર કલેશ-કષાયનું અને અનંત સંસારનું કારણ થાય તેમ હતું. પૂર્વે યથાસ્થિત વિચાર વિના કાર્યારંભ કર્યો ને હવે એકદમ ઉલાળીઓ કરવા જતાં બીજાઓને કલેશાપતિ થાય તે વીતરાગી શ્રીમદ્દને પરવડે એમ ન હતું અને ઉપાધિ રહે એ પણ પોષાય તેમ ન હતું, એમ મોટું ધર્મસંકટ શ્રીમદ્દને આવી પડયું. એટલે આ “પ્રારબ્ધ-પ્રારંભેલું કાર્ય સમ્યક પ્રકારે પૂરું કરી–નિર્વાહી, ચિત્તસમાધાન રાખી યુક્તિથી ક્રમે કરી તેમાંથી નિવૃત્તવું એમ વિચારવું પડયું. આ અંગે શ્રીમદ પિતાની અંતર્વેદના ૧૯૪૮ના ફા. સુ. ૧૪ના દિને લખેલા પોતાના પરમાર્થ સહદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૩૯) ઠાલવે છે
અમને તે માત્ર અપૂર્વ એવા સના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઇ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને