________________
પ્રારબ્ધાજનિત વ્યવહારે પાધિ કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્યા ઉપગ વર્તાવ પડે છે. આત્મા તેમાં વર્તો નથી. કવચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અથે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યારપછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. ૪૪ ૪ આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. * આ કામ પછી ત્યાગ એવું અમે તે જ્ઞાનમાં જોયું હતું, અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્ય વાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી.”
આ પરથી શ્રીમદ્દની વ્યવહારપ્રવૃત્તિને બધે ખુલાસો મળી જાય છે. આ ઉપાધિના ભીડા અંગે પુનઃ પિતાની ઊંડી અંતરંવેદના શ્રીમદ્દ ૧૯૪ત્ના ચૈત્ર વદ ૬ના સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૩૯) ઠાલવે છે–“ઉપાધિને જગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તે કેઈને અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કેઈના મુખ્ય અપરાધમાં આવી જવાને સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત ગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.” આ પત્રો પરથી શ્રીમદ્દની વ્યવહારપ્રવૃત્તિને બધો ખુલાસો મળી જાય છે, અને જોઈ શકાય છે કે પોતાની ઈચ્છાને કારણે નહિં પણ અત્યંત અનિચ્છાએ તેવા પ્રારબ્ધોદયથી શ્રીમદ્દને પરાણે સંસારમાં રહેવું પડ્યું છે અને તેમાં પણ મુખ્યપણે પરેચ્છાના જ કારણે ઉપાધિ પ્રસંગમાં પ્રવર્તાવું પડયું છે. તેમના પત્રમાં જણાવ્યું છે તેમપરેચ્છાથી વાત એ છીએ. (અં. ૨૩૪). ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિગ છે. (અં. ૨૪૫) હાલ જે પ્રવૃત્તિજગમાં રહીએ છીએ તે તે ઘણું પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ, આત્મદષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાધ નથી પામતું, માટે ઉદય આવે એ તે જગ આરાધીએ છીએ. (અં. ૩૭૬).” ઈત્યાદિ.
આમ પછાથી ઉપાધિગમાં વર્તવું પડે છે છતાં નિર્દોષમુત્તિ જુમત્તિ શ્રીમદ્દ તે પોતાના પ્રારબ્ધને–અને તે પણ પિતે જ કર્યું માટે પોતાને જ દેષ કાઢે છે, અં. ૩૩માં કહ્યું છે તેમ “કેઈને દેષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારે દેષ છે. એટલે જે કાંઈ ઉપાધિ કરાય છે તે કાંઈ શ્રીમની સ્વઈચ્છાને કારણે નથી, પણ પછાથી અને પ્રારબ્ધદયકારણે છે. સ્વઈચ્છાની વાત તે દૂર રહે, પણ તે પ્રત્યે પરમ વિરક્ત શ્રીમદને અત્યંત અત્યંત અનિચ્છા જ છે–અરુચિ જ છે, એટલું જ નહિં પણ તીવ્ર ખેદ છે, આ પરમ નિર્વેદરૂપ છે તેમના અંતરોદુગારરૂપ વચમાં