SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ અધ્યાત્મ રાજય કે અન્ય દેહ નથી હું આત્મા છું એવું ખરૂં આત્મભાન પ્રગટ્યું હાય તેને. સૌભાગ્ય પરનાં પત્રમાં (અ.૩૬૨) શ્રીમદે કહ્યું છે તેમ-ખરૂ' આત્મભાન થાય છે તેને, હું ભાવના અકર્તા છું એવા એધ ઉત્પન્ન થઇ, અહુ પ્રત્યયિ બુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારવાર ઉજજવલપણે વર્ત્યા કરે છે.' અન્યત્ર શ્રીમદે કહ્યું છે તેમ—પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી ને.' આમ જેની દેહાત્મષ્ટિરૂપ દેષ્ટિ નષ્ટ થઈ આત્માત્મદૃષ્ટિરૂપ આત્મદૃષ્ટિ અત્યંત સ્પષ્ટ ખૂલી છે, એવા શ્રીમદ્ જેવા પરમ સમથ ખરેખરા જ્ઞાનીવિશેષને તેવી તથારૂપ વિદેહી દશા રહી શકવી કેમ ન સંભવે ? સંભવે જ, ને તે કેવી રીતે? શ્રીમદે ૧૯૫૧ના જેઠ વદ ૭ના દિને લખેલા પત્રમાં (અ. ૬૦૭) પેાતાની આત્મદશા સૂચવતું આ વચન ટાંકયું છે એવી રીતે ‘જગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરના નહિં સંગ જો; એકાંતે વસવું ને એક જ આસને, ભૂલ પડે તેા પડે ભજનમાં ભંગ જો.’–આને પરમાં એ સમજાય છે કે જેણે પેાતાની સમસ્ત ચિત્તવૃત્તિએરૂપ ગોપીએને પેાતાના અનુપમ આત્મસ્વરૂપસૌંદય થી આકૃષ્ટ કરી અંતમુ ખ કરી હતી, એવા જ્ઞાની આત્મારૂપ ‘કૃષ્ણ' ની આ યુક્તિ તે જીએ! એમ હર્ષાવેશમાં ખેલતી ભક્તિપ્રધાન એવી ચિત્તવૃત્તિએરૂપ ગેાપીઓ કહે છે કે–અમે આ શરીરમાં એકાંતે ને એક જ આસને વસીએ છીએ, છતાં અમને શરીરના સોંગ નથી ! અને એમાં જો ભૂલ થઈ તેા પડે ભજનમાં ભ‘ગ જો.' અર્થાત્ આ પરથી શ્રીમદ્દે એમ સૂચવ્યું જણાય છે કે-દૂધ ને પાણી જેમ એકક્ષેત્રાવગાહસ્થિતિમાં પણ આ આત્માને અમે દેહથી એટલેા બધા આત્યંતિક ભિન્ન અનુભવીએ છીએ કે અત્યંત સમીપ-નિકટ છતાં અમારા આત્માને શરીરના સંગ નથી; આમ એકક્ષેત્રાવગાહસ્થિતિરૂપ એકાંતે ને એક જ આસને અમે વસીએ છીએ છતાં આવા અસંગ આત્મા અમે પ્રગટ અનુભવીએ છીએ, અને તેમાં જો ભૂલ પડી તેા પડે ભજનમાં ભંગ જો ’,—ભજનમાં–શુદ્ધતત્ત્વભક્તિમાં ભંગ પડે. આમ દેહ ને આત્માની એકક્ષેત્રાવગાહસ્થિતિ છતાં જેણે દેહથી ભિન્ન અસગ આત્માનું આત્ય ંતિક પરિભાવન કર્યું છે એવા શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનીને તેવી દેહાતીત વિદેહી દશા કેમ ન હેાય ? આ અંગે જનકરાજાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, રાજકાજઆદિ સ વ્યવહાર સભાળતાં છતાં વિદેહીપણે તેમની આત્મસ્થિતિ ઇતિહાસપ્રસિદ્ધ છે. શ્રીમદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અ’. ૨૧૮, ૧૯૪૭ ક઼ા. શુ. ૧૩) આ જનવિદેહીની આત્મદશા પ્રશંસે છે કેજનવિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શકયા એ જે કે મેાટુ' આશ્ચય છે, મહામહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેના આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકના ઉદય તેમ વતાં તેમને બાધ હતા નથી. દેહ સહિતનું જેનું અહુંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યના દેહ પણ આત્મભાવે જ જાણે વતતા હતા, તેા પછી તેમની દશા ભેદવાળી કયાંથી હોય ? ' માયાના દુરંત પ્રસંગમાં આ વિદેહુપણાનું પરમ વિકટપણું દર્શાવતાં શ્રીમદ્ અંબાલાલ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy