SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ની દેહુ છતાં દેહાતીત વિદેહી દશા ૩૬૫ કંઇક અંતરાયરૂપ થાય છે. તેા પછી આ દોષ કેાના છે? એ માટે માર્મિકપણે કહે છે- એ સ`ના દોષ અમને છે કે હરિને છે, એવા ચાક્કસ નિશ્ચય કરી શકાતા નથી.’ આવી ઉદાસીન દેહાતીત વિદેહી દશાને લઇ વિદેહીપણે થતી ઠેકાણા વિનાની પેાતાની પ્રવૃત્તિ દર્શાવે છે– એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ,-જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે.' ઇ. આવી દે છતાં દેહાતીત વિદેહી ઉદાસીન દશા છે છતાં વ્યવહાર શા માટે કરી છે ? તેને ખુલાસા આ જ પત્રમાં (અ. ૨૫૫) છેલ્લી પંક્તિમાં કર્યાં છે .....અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે.’–પરમાત્માના જ્ઞાનમાં જેમ દીઠું' છે તેમ પ્રારüાયાધીનપણે આ પ્રવૃત્તિ કરવી પડે છે એટલે એ એની ઇચ્છાની વાત છે—એના હાથની વાત છે. એટલે જ શ્રીમદ્ ૧૯૪૮ના પોષ સુદ ૭ ના પત્રમાં (અ. ૩૧૩) સૌભાગ્યને લખે છે કાઈ એવા પ્રકારના ઉય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઇક પ્રવન કરી શકીએ છીએ, તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્ત્ત ન માંડમાંડ કરી શકીએ છીએ. મન કયાંય વિરામ પામતું નથી....' ૧૯૪૮ ૧. શુ. ૧૨ના પત્રમાં (અ. ૩૬૬) લખે છે——‘હૃદયરૂપ શ્રી સુભાગ્ય,-મનમાં વાર વાર વિચારથી નિશ્ચય થઇ રહ્યો છે કે કોઈપણ પ્રકારે ઉપયાગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિોગના ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તે થાડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે; અને પ્રવૃત્તિ કરી શકે એવી ચેાગ્યતાવાળુ ચિત્ત તે નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કત્તવ્ય છે, તેા ઉદાસપણે તેમ કરીએ છીએ, મન ક્યાંય ખાઝતું નથી, અને કઈ ગમતું નથી, તથાપિ હાલ રિઈચ્છા આધીન છે.' ૧૯૪૮ના • વૈ. વદ ૬ના પત્રમાં (અ. ૩૬૮) સૌભાગ્યને લખે છે— અમારે વિષે વા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતો નથી.’ વ્યવહાર મધ્યે પણ શ્રીમદ્નની કેવી વીતરાગતા ! કેવી અસ’ગતા ! કેવી ઉદાસીનતા ! કેવી વિદેહી દશા! સમયસાર ગાથાX ૨૧૮માં કહ્યું છે તેમ— સાનું કાદવ મધ્યે લેપાતું નથી, તેમ સદ્રયૈામાં રાગ ત્યજનારા–વીતરાગી જ્ઞાની કમમધ્યે પણ જરા પણ રજથી લેપાતા નથી,’–જલમાં કમલની જેમ નિલે`પ જ રહે છે તે આનું નામ ! આવી દેહ છતાં દેહાતીત વિદેહી દશા કેમ કેને સંભવે ? કેવી રીતે સંભવે ? જેને દેહ હું છું એવા દેહમાં અહ બુદ્ધિરૂપ અહંભાવ છૂટી ગયેા હાય તેને, જેને હું X " णाणी रागध्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो । णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं || ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः । ॥ लिप्यते सकलकर्मभिरेषः, कर्ममध्यपतितोऽपि ततो न શ્રી અમૃતચંદ્રાચાર્યજી "" " સમયસાર ગા. ૨૧૮ કૃત સમયસાર કળશ ૧૪૮
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy