SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અધ્યાત્મ રાજક જેડી નથી એવા મહત મહા “વિદેહી’ હતા,–દેહ છતાં દેહાતીત એવા ભાવથી મહાવિદેહ ક્ષેત્રમાં–આત્મક્ષેત્રમાં વસનારા હતા, “હમ પરદેશી પંખી સાધુ ઓર દેશકે નાંહિ રે–એવા આત્મદેશના નિવાસી હતા, “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, શુદ્ધસ્વરૂપ નિવાસી,” કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ચ થના પંથને અનુસરનારા શ્રીમની આ દેહ છતાં દેહાતીત અલૌકિક કાર્યોત્સર્ગ દશાનું દિગદર્શન આપણે આ પ્રકરણમાં કરશું. શ્રીમદની આ દેહાતીત વિદેહી દશાનું ઉત્તમોત્તમ દર્શન કરાવતું તારશ્ય ચિત્ર આપણને શ્રીમદના સૌભાગ્ય પરના આ પરમ અમૃતપત્રમાં (સં. ૨૫૫) પ્રાપ્ત થાય છે ? એક પુરાણ પુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઇ ગમતું નથી; અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કેણુ શત્રુ છે અને કેણુ મિત્ર છે, એની ખબર ૨ખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વત નિયમને કંઈ નિયમ રાખે નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચછા નથી; શાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચછા રહી નથી; પિતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ છેલે કમ દારે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિયે શૂન્યપણે પ્રવર્તાવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પિતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. xx યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એને કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાને ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણુએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વને દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ.—જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે” આ અમૃતપત્ર પરથી સ્વયં સમજાય છે કે શ્રીમદને એક પુરાણપુરુષ–શુદ્ધ આત્મા–પરમાત્મા અને તેની પ્રેમસંપત્તિ વિના જગના અન્ય પદાર્થ પ્રત્યે રુચિનું નામનિશાન રહ્યું નથી, એટલે જ એમને “કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી.”
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy