________________
૩૬૧
પુરાણ પુરુષ અને સતથી અભેદ સતપુરુષ શ્રીમદ્ મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન; માત આનંદઘન, તાત આનંદઘન ગાત આનંદઘન, જાત આનંદઘન....મેરે. - કાજ આનંદઘન, સાજ આનંદઘન; સાજ આનંદઘન, લાજ આનંદઘન...મેરે. આભ આનંદઘન, ગાભ આનંદઘન;
નાભ આનંદઘન, લાભ આનંદઘન....મેરે.' બે અવધુત યોગીશ્વરેના અનુભવઉગારમાં કેવું અદ્ભુત સામ્ય!
પ્રકરણ ઓગણસાઠમું શ્રીમની દેહ છતાં દેહાતીત વિદેહી દશા કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્મથને પંથ ભવ અંતને ઉપાય છે.”—શ્રીમદ્ રાજચંદ્ર આવી જીવંત છતાં મુક્ત એવી જીવન્મુક્ત દશાનો અમૃતાનુભવ કેણ કરી શકે? કાલેકના જ્ઞાનરૂપ કેવલજ્ઞાનના અર્થમાં નહિં પણ કેવલ એક શુદ્ધ આત્મામાં વર્તાવારૂપ પરમ અમૃતમય કેવલ શુદ્ધાત્માનુભવદશાને અનુભવ કેણ કરી શકે? દેહાદિ અન્ય ભાવથી તાદામ્ય અધ્યાસ નિવૃત્ત કરી જે કેવલ એક આત્મામાં–સહજામસ્વરૂપમાં જ શમાર્યો હોય તે, જેણે હું પુદ્ગલમૂત્તિ જડ દેહ નથી, હું શુદ્ધ ચિતન્યમૂર્તિ ઉપ
ગમય આત્મા છું એવી આત્મભાવનાનું આત્યંતિક પરિભાવન કર્યું હોય તે. શ્રીમદે તે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે’ એ પોતાની પરમપ્રિય પ્રસિદ્ધ આત્મભાવનાનું એટલું બધું આત્યંતિક પરિભાવન કર્યું હતું કે તેવી દશા તેમને સહજ સ્વભાવભૂત બની ગઈ હતી, એટલે જ આ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમને –“જ્ઞાની સહજ પરિણમી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજ પણે પ્રાપ્ત ઉદય ભેગવે છે, સહજપણે જે કઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે, કર્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે,” (અં. ૩૭૮),–એવી અલૌકિક અદ્ભુત દશા સહજ નિઃપ્રયાસ આત્માનુભવસિદ્ધપણે સિદ્ધ થઈ ચૂકી હતી. પ્રાપ્ત ઉદય પ્રમાણે બાહ્ય જગતુવ્યવહારમાં વર્તતાં પણ શ્રીમદની આ દેહ છતાં દેહાતીત વિદેહી દશાને વિચાર કરતાં જનક વિદેહીનું સ્મરણ થાય છે. અથવા તે ઓર બળવાનપણે વિશેષે સ્મરણ થાય છે, કારણ કે શ્રીમદની આત્મદશા તે એવી પરમાત્તમ કટિની હતી, એટલે કે શ્રીમદ્દ તે અખિલ જગતમાં જેની અ-૪૬