SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ અધ્યાત્મ રાજ્યક્ વારંવાર પૃચ્છારૂપ જિજ્ઞાસાના જવાબમાં પરમ ૠનુસૂતિ શ્રીમદ્ ખેાતાની આત્મદશા સંબધી લખે છે– અમારી દશા હાલમાં કેવી વતે છે તે જાણવાની આપની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ.' અત્રે માર્મિકપણે શ્રીમદ્દે સૂચવ્યુ છે કે અમારા આત્માની વત્ત માનદશા વૈખરી વાણીથી કથી શકાય એમ નથી ને લેખિનીથી લખી શકાય એવી નથી. એટલે ટૂંકામાં લખે છે— એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસપત્તિ વિના અમને કઈં ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી.’ ઇત્યાદિ. —કેવલ એક શુદ્ધ આત્મારૂપ-સમયસારરૂપ-પરમાત્મારૂપ અનાદિના ચાલ્યા આવતા જે આ પુરાણા ‘પુરાણ' પુરુષ (ભગવાન આત્મા) અને આ પુરાણુપુરુષની પ્રેમસ પત્તિ વિના અમને કઈ ગમતું નથી-રુચતું નથી; આ પરમ પદાર્થ ની—પરમાથ ની—પરમ અથČની પ્રાપ્તિ થઇ છે એટલે અમને આ જગત્ને વિષે બીજા કોઇ પણ પદાથ માં લેશ પણ રુચિ માત્ર રહી નથી, અમારો પરમપ્રેમ આ એક પુરાણપુરુષમાં જ છે, તેમાં જ અમે અભેદ એકરસભાવે રમીએ છીએ અને પરિણમીએ છીએ; તે જ અમને ગમે છે અને તેમાં જ અમારી આત્મા રમે છે. આમ લખી શ્રીમદે અત્ર પત્રમાં પોતાની પરમ ઉદાસીન દશાનું દેહ છતાં દેહાતીત દશાનું દિગ્દન કરાવ્યું છે. (તેનું આપણે અલગ પ્રકરણમાં વિવરણ કરશું). છેવટે અત્રે આ પત્રના અંતે પરમાત્મા હરિથી પેાતાની–પોતાના આત્માની આ અભિન્નદશા આ અલૌકિક અમર શબ્દોમાં પ્રકાશી છે— 4 અમારે દેશ હિર છે, જાત હિર છે, કાળ હિર છે, દેહ હરિ છે, રૂપ હિર છે, નામ હિર છે, દિશા હરિ છે, સ` રિ છે.’ ——કાઈ પૂછે અહેા રાજચંદ્ર! તમારા દેશ કયા છે? તેા અમે કહીએ છીએ કે અમારે દેશ હિર છે, અમે હિર દેશમાં વસનારા છીએ; તમારી જાત કઈ છે? રિ અમારી જાત છે, અમે હરિની–પરમાત્માની જાતના શુદ્ધ ચૈતન્યજાતિના છીએ; તમારા કાળ કયે છે? હિર અમારો કાળ છે, અમે હિરના કાળમાં-વત્ત માન પર્યાયમાં વીએ છીએ; તમારા દેહ કયા છે ? હરિ–પરમાત્મા એ અમારા દેહ–મૂ આકારરૂપ દેહ છે; તમારૂ રૂપ કયું છે ? હિર એ જ અમારૂં રૂપ છે; તમારૂં નામ કયું છે ? હિર–પરમાત્મા એ જ અમારૂં નામ છે; તમારી દિશા કઇ છે ? હરિ એ જ અમારી દિશા છે, અમે હરિની –પરમાત્માની દિશામાં જ ગમન કરી રહ્યા છીએ; તમારૂં સ શું છે? હરિ એ જ અમારૂં સવ છે, જે કાંઇ પણ છે તે સર્વસ્વ છે. આમ અમારે સ` હિર છે, ‘છતાં આમ વહીવટમાં છૈયે’–વ્યાપાર વ્યવસાયાદિમાં છીએ—વીએ છીએ, બેઠા છીએ, એ અમારી ઈચ્છાથી નથી, પણ એ એની ઇચ્છાનું કારણ છે’—એ હરિની-પરમાત્માની ઇચ્છાથી છે. આમ અમારે દેશ હિર છે' ઇ. અમર શબ્દમાં શ્રીમદ્દે પરમાત્માથી પાતાની કેવી અભેદશા દર્શાવી છે! અત્રે આનંદઘનજીના અમૃત શબ્દોની સ્મૃતિ થાય છે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy