SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાણપુરુષ અને સત્થી અભેદ સત્પુરુષ શ્રીમદ્ ૩૧૯ થયા છે; તેમજ ઉપરમાં બતાવી આવ્યું તેમ અત્રે નિર્દિષ્ટ નિસ્પૃહતા, નિરહંતા, નિમ મતા, નિર્માનતા, નિ:સત્રતા, માળખાણ થવું દુર્લભ એવી અટપટી દશા એ આદિ અદ્ભુત ઘટનાએ શ્રીમદ્નના અધ્યાત્મજીવન સાથે પૂરેપૂરી અંધબેસતી ને ગાઢ સંકળાયેલી છે. એટલે આમ જે રીતની અત્ર વચનરચના છે અને જે શુદ્ધઆત્માનુભવની અલૌકિ મસ્તીના ઉત્કટ ઉન્સનીભાવમાં આ અલૌકિક અમૃત વચન લખાયેલ છે તે પરથી એ સહજ સમજાય છે કે-‘સત્પુરુષ' શખ્મથી સત્પુરુષસામાન્ય સાથે શ્રીમદ્ વિશેષથી ગર્ભિતપણે પાતે પેાતાને ઉદ્દેશીને ધ્વનિ'થી લખી રહ્યા છે, અને અંતરુનિરીક્ષણથી અતર્દશન કરતાં પાતાની-પેાતાના આત્માની યથાવત્ દશાનું તટસ્થપણે દન કરી રહ્યા છે. અને આમ પરાભક્તિની પરાકાષ્ઠાથી પ્રાપ્ત પુરાણુપુરુષની પ્રત્યક્ષ પ્રાપ્તિથી સત્’-જેમ છે તેમ ‘સત્’- સત્ય–સાચા ‘સત્’-સારામાં સારા એવા પરમ સારભૂત સત્સ્વરૂપને પોતે પામ્યા હૈાવાથી, પ્રયાગસિદ્ધ સાક્ષાત્ સમયસારરૂપ-શુદ્ધઆત્મા રૂપ પરમાત્માને પેાતે પ્રાપ્ત થયા હેાવાથી, પુરાણપુરુષથી અભેદ સત્પુરુષસ્વરૂપ પેાતાના આત્માને-પુરાણપુરુષને નમન-સ્મરણુ–સ્તવનાદિ શ્રીમરે કર્યાં છે, તે અલોકિક એવી નમા સુજ નમા મુજ' એ પરમ ધન્ય દશાનું સ્મરણ કરાવે છે! આ પુરાણપુરુષ પરમાત્માથી શ્રીમના કેવા અભેદ થઈ ગયા છે તે તેમના સૌભાગ્ય પરના-૧૯૪૭ અસાડ સુદ ૧૩ના અમૃત પત્રમાં (અ. ૨૫૫) મથાળે ટાંકેલું આ વચન સૂચવે છે– ‘સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સુખકજી, પરમસ્નેહી (!) છે પરમાનંદજી.’——સુખના સિંધુ-સાગર સહજાનંદજી ! તમે જગતના જીવનરૂપ હાવાથી જગજીવન છે, એટલે જગતને વંદન કરવા ચૈાગ્ય જગદ્ભવદ્ય છે, તમારે શરણે આવેલા શરણાગતને સુખના કઇં–મૂલ છે, એવા હે પરમાનંદજી! તમે અમારા પરમસ્નેહી (!) છેા. ભગવાન પરમાત્માને જે પાતાના પરમસ્નેહી હાવાના દાવા કરે, તેને તેનાથી કેટલે! બધેા અભેદ થયા હાવા જોઈએ ? આ ભાષ્ય અને હું ભાવક, આ ભય અને હું ભક્ત, આ ધ્યેય અને હું ધ્યાતા એવા ભેદભાવના કેવા સવથા અભાવ થયે હાવા જોઈએ ? - ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે’ એવા ભેદછેદ કેવા ટકે કર્યાં હાવા જોઈએ ? અથવા તે અત્રે પરમસ્નેહી (!)' એમ આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે તે એમ સૂચવે છે કે આ હું ને આ મ્હાશ સ્નેહી એમ કહેવામાં તેા ભેદભાવ-જૂદાઈ દેખાય છે એટલે પરમસ્નેહી પણ કહી શકાય એમ નથી. ત્યારે શું છે? પરમપ્રેમી-એકરસભાવરૂપ જ્યાં પરમ પ્રેમ જ છે એવા અભેદ જ છે,-પરમાત્મા હું અને હું તે પરમાત્મા એવા એકરસભાવરૂપ પરમપ્રેમ જ છે. આ વચન પત્રના મથાળે ટાંકી શ્રીમદ્ અપૂર્વ સ્નેહમૂર્તિ પરમાસખા સૌભાગ્યને લખે છે– અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહેાંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ.’અત્રે શ્રીમદ્દે સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે હરિકૃપાથી–પરમાત્મકૃપાથી અમે પરમપ્રસન્નપરમાનંદમય પદ્યમાં છીએ-પરમપદમાં પરમાત્મપદમાં વત્તીએ છીએ. પછી સૌભાગ્યની
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy