SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દની દેહ છતાં દેહાતીત વિદેહી દશા ૩૬૩ પુરાણપુરુષના પરમપ્રેમરસથી તરબળ બનેલા શ્રીમદ્દ તે પરમપ્રેમરસમાં એટલા બધા નિમગ્ન થઈ ગયા છે કે તેઓ જગત્ નું, પિતે જે બાહ્ય વ્યવહારમાં બેઠા છે તે વ્યવહારનું, અરે! પોતાના દેહનું ભાન પણ ભૂલી ગયા છે, દેહાદિક સર્વ પદાર્થથી–જગથી વ્યવહારથી અત્યંત ઉદાસીન થઈ ગયા છે. અત્રે ઉદાસીન એટલે ઉદાસ-દીલગીરશેકાનં–શોકમગ્ન એમ અર્થ નથી, પણ “હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વીક્ષણ રે'—લેવાદેવાના પરિણામથી રહિત એવા દષ્ટાભાવે સાક્ષીભાવે ઉપેક્ષા કરત-ઈષ્ટાનિષ્ટ બુદ્ધિથી રહિત સમભાવ ધરતે પરમાનંદનિમગ્ન એમ અર્થ છે. અથવા તે ઉદાસીન = ઉદુઆસીન, ઉદ્aઉંચે આસીન=બેઠેલે, જગના ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા અસ્પર્ય–અલેપ્ય આત્મદશાના આસનમાં બેઠેલે તે ઉદાસીન. આવી ઉદાસીન આત્મદશાની સ્થિતિમાં બેઠેલા શ્રીમદ્દ દેહથી પણ ઉદાસીન થઈ ગયા છે, હું દેહ છું એવો દેહભાવ ન સ્પશી શકે એવી દેહથી પર (Beyond the reach of body)–દેહથી અતીત દેહાતીત વિદેહી દશામાં વત્તી રહ્યા છે, તે એટલે સુધી કે અત્ર પત્રમાં કહ્યું છે તેમ– અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” અમે દેહધારી-દેહને ધારણ કરનારા-આ રાજચંદ્ર નામથી ઓળખાતા દેહ ધરનારા છીએ કે કેમ તે “સંભારીએ – યાદ કરીએ ત્યારે જાણીએ છીએ, નહિં તો નહિં, અમે દેહધારી છીએ એ જ ભૂલી જઈએ છીએ! અને એ યાદ કરીએ ત્યારે જાણીએ છીએ તે પણ કેવી રીતે? “માંડ” જાણીએ છીએ, કેમે કરીને જાણીએ છીએ; હે, શું હું, દેહધારી છું? ના, ના, એમ હોય નહિં, એમ વારંવાર યાદ કરતાં ઘણું ઘણી મહેનતે કેમે કરીને જાણીએ છીએ. શ્રીમદૂની કેટલી બધી આત્યંતિક દેહાતીત વિદેહી દશા હશે તેને આ પરથી કંઈક ખ્યાલ આવશે. જગતમાં બીજા બધા પ્રકારના અહં જે આ મોટામાં મોટા દેહના અહંરૂપ કેન્દ્રસ્થ (central) અહંની આસપાસ પ્રદક્ષિણા ફરે છે, તે આ દેહને અહં ભલભલા મહાત્માઓથી પણ ભૂલ્યો ભૂલાતો નથી; ત્યારે શ્રીમદ્દ તે અહંને એટલે બધો ભૂલી ગયા છે કે એમને યાદ કર્યો યાદ આવતો નથી ! તે જ એમનું પરમમહમાં પરમમહત્પણું ને પરમસમાં પણ પરમસત્પણું છે. જગજજી તે સામાન્યપણે હું દેહધારી છું, ફલાણું નામવાળે છું, એમ સ્વપ્નાંતરે પણ પિતાને દેહનો અહં ભૂલતા નથી, ત્યારે જગદગુરુ શ્રીમદની સ્થિતિ તેથી સાવ ઉલટી છે, એમને તે સ્વપ્નાંતરે પણ હું દેહ છું એવો ભાવ ઉદ્ભવતો નથી એટલું જ નહિં પણ જાગ્રતાવસ્થામાં પણ સંભારે ત્યારે માંડ-મહા મહેનતે યાદ આવે છે ! કયાં પરમ ભાવિતાત્મા શ્રીમદની આત્માત્મબુદ્ધિ? કયાં જગતની દેહાત્મબુદ્ધિ? દેહ અને દેહાશ્રિત અહંભાવના તન્મયપણુમાં રાચી રહેલા પામર પુદ્ગલાનંદી ભવાભિનંદી જીને પરમ આત્માનંદી જીવન્મુક્ત શ્રીમદ્દની આ દેહાતીત વિદેહી દશાની કલ્પના પણ કયાંથી આવે? આમ દેહનું પણ જે ભાન ભૂલી ગયા છે એવા આત્મમગ્ન શ્રીમદને પ્રાયઃ બાહ્ય ઉપગ વર્તતે ન હેવાથી તેમની બાહ્ય વના ગમે તેવી થઈ પડી છે; શત્રુ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy