________________
ઉ૫૬
અધ્યાત્મ રાજય
બન્યા. આમ શ્રીમદ્દ સથી અભેદ એવા સાક્ષાત્ પુરુષ થયા, એટલે જ શ્રીમદ્ અનેક પત્રોમાં મથાળે “સતુને અભેદભાવે નમેનમઃ” એ પરમ પરમાર્થગંભીર પરાભક્તિવાચક મહાવાક્ય લખે છે, તે જ સૂચવે છે કે સમાં ને પિતામાં કઈ ભેદ રહ્યો નથી, એટલે કે પરાભક્તિથી પરં બ્રહ્મ પરમાત્મા જેને વશ વર્તે છે એવા પિતે સત્ પુરુષ–સને પ્રાપ્ત આત્મા–પરમ આત્મા થયા છે. અને આમ સભક્તિપ્રભાવે— સત પુરુષભક્તિપ્રભાવે પુરાણપુરુષ –અનાદિને ચાલ્યા આવત પુરાણ “પુરાણ” પુરુષ–આત્મા પિતાને પ્રાપ્ત છે, એટલે જ મથાળે જ્યાં પુરાણપુરુષને નમેનમઃ” એ મહાવાક્ય આવે છે તે પત્રમાં (અં. ૨૧૩) શ્રીમદ સત્પષનું સ્મરણ-સ્તવન કર્યું છે, તે જાણે આત્મસ્તિવન કરતાં પોતે પોતાને નમસ્કાર કરતા હોય એમ-આનંદઘનજીએ ગાયેલી “નમે મુજ નમે મુજ એવી પરમ ધન્ય દશાનું સ્મરણ કરાવે છે, એ વચન વાંચતાં-વિચારતાં એ સહજ ધ્વનિ ઊઠે છે.
આ પુરાણ પુરુષ તે કેશુ? અનાદિકાળથી ચાલ્યા આવતે અનાદિને જૂને પુરાણ પુરુષ—ચિત પુરૂમાં શયન કરતો શુદ્ધ આત્મા તે પુરાણ પુરુષ, તે જ સમયસાર, તે જ પરમાત્મા, તે જ જ્ઞાનાત્મા, તે જ પ્રત્યજ્યોતિ, તે જ પરંબ્રહ્મ, તે જ આત્મખ્યાતિરૂ૫ અનુભૂતિમાત્ર શુદ્ધઆત્મા–સમયસાર. સમયસારકળશ૪ ૯૩માં કહ્યું છે તેમનિભતાથી-મૌન અનુભવ કરતા પુરુષાથી જે આ સમયને સાર સ્વયં આસ્વાદાય છે, તે આ વિજ્ઞાનકરસ ભગવાન પુણ્ય પુરાણ પુરુષ જ્ઞાન છે, દર્શન પણ આ છે, અથવા જે કંઈ કહે તે આ એક જ છે. તેમજ જસમયસારકાશ ૪૮માં કહ્યું છે તેમ-જ્ઞાની થયેલ તે આ જગને સાક્ષી પુરાણપુરુષ અહીં “ચકાસી–પ્રકાશી રહ્યો છે –જ્ઞાનમૂત તશ્ચારિત કરતા સાક્ષી પુજા કુમાન ! આ પુરાણપુરુષની પ્રાપ્તિ શાથી થાય? કેના થકી થાય ? તે સ્વરૂપ પુરાણપુરુષરૂપ સત્ને પામેલા સત્ પુરુષ થકી, કારણ કે તે પુરાણપુરુષ પણ પરાભક્તિને પામેલા સત્ પુરુષને વશ છે, અને શ્રીમદ પોતે પણ તથારૂપ પરાભક્તિના પ્રભાવે તે પુરાણપુરુષરૂપ સસ્વરૂપને પામેલા સતુ પુરુષ છે, એટલે તેવી ધન્ય દશા પામી જાણે પિતે પિતાને નમનાદિ કરતા હોય એમ અત્ર પત્રમાં (એ ૨૧૩) ધ્વનિ' છે, જેમાં સુજ્ઞ સકર્ણ જનોને માર્દવમૂર્તિ નિરીં શ્રીમદૂની અદ્ભુત
" आक्रामन्नविकल्पभावमचलं पक्षनयानां विना, सारो यः समयस्य भाति निभृतेरास्वाद्यमानः स्वयं । विज्ञानकरसः स एष भगवान् पुण्यः पुराणः पुमान् , ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किचनकौप्यय ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકળશ ૯૩ " इत्येव विरचय्य संप्रति परद्रव्यानिवृत्ति परां,
स्व विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परे । अज्ञानोस्थितकतृकमकलनात् क्लेशान् निवृत्तः स्वय, ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ॥"
સમયસારકળશ ૪૮