________________
૩૫૫
પરાભક્તિની પરાકાષ્ઠા કલ્યાણરૂપ છે. અમને તે કોઈ જાતને ભેદભાવ નહીં ઉત્પન્ન થતું હોવાથી સર્વ જંજાળરૂપ વતે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વતે છે.'
૧૯૪૮ના જેઠ સુદ ૧૦ના દિને સૌભાગ્ય પર (પત્રાંક ૩૭૮) લખે છે-“છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયે નથી એવા શ્રી....ને નમસ્કાર છે.” ન મુજ નમો મુજ એવી આનંદઘનજીએ ગાયેલી પિતે પિતાને નમસ્કાર કરવા જેવી–ભક્તમાંથી ભગવાન બનવા જેવી પરમ ધન્ય નિર્વિકલ્પ અભેદશા શ્રીમાને પ્રગટી તે પરાભક્તિની કેવી ભવ્ય પરાકાષ્ઠા!
मा
પ્રકરણ અઠ્ઠાવનમું પુરાણુપુરુષ અને સત્થી અભેદ સત્ પુરુષ શ્રીમદ્
“એક પુરાણપુરુષ ને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી.”—શ્રીમદ્ રાજચંદ્ર “વિનૈઃ અવાર પુoથ કુરા દુકાન”—શ્રી અમૃતચંદ્રાચાર્યજી
પરમાત્માની પરાભક્તિના પરમ પ્રભાવે પરમ પુરુષ–પુરુષોત્તમ શ્રીમદૂને પુરાણ પુરુષની પ્રાપ્તિ થઈ રહ્યું "રં ધામદિ–એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ” એમ તે પરમ સત્યનું ધ્યાન કરતાં શ્રીમદ્દ પરમ સત્ય થયા–પરમ સને અભેદ એકનિષ્ઠાથી આરાધતાં શ્રીમદ પરમ “સ” થયા, સાક્ષાત્ સસ્વરૂપને પ્રાપ્ત સાક્ષાત્ પુરુષ થયા. જે જેને ધ્યાવે તે તેવો થાય છે, પરમાત્માને ધ્યાવવાથી આત્મા પરમાત્મા થાય છે. ઈયળ ભમરીનું ધ્યાન કરતાં ભમરી બને છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે. “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભેગી ઈલિકાને અટકાવે, તે ભૂંગી જગ જેવે રે.”—“જિન થઈને એટલે સાંસા રિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને–વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાંત આપ્યું છે.” (પત્રાંક ૩૮૭). અર્થાત્ જિન-સ્વરૂ૫ થઈ છે જિનને–શુદ્ધ સહજાન્મસ્વરૂપી પરમાત્માને ધ્યાવે છે, તે નિશ્ચયે કરીને જિન–શુદ્ધ સહજાન્મસ્વરૂપી પરમાત્મા થાય છે. શ્રીમને પણ તેમ જ થયું. મને નમસ્કાર હે– મને નમસ્કાર હે! એવી પરમ ધન્ય અભેદદશા શ્રીમદ્દ પામ્યા; આ સત્ ભાવન કરવા યોગ્ય છે અને આ હું ભાવન કરનારે ભાવક છું એવા ભાવ્યભાવક ભાવને જ્યાં અભાવ થયો છે-ભેદ મટી ગયું છે એવી સતથી અભેદ દશા શ્રીમાને પ્રગટી. આવી અદા એ જ પરાભક્તિની પરાકાષ્ઠા છે અને તે પામી શ્રીમદ્દ ભક્તમાંથી ભગવાન