________________
૩૫૪
અધ્યાત્મ રાજચંદ્ર છે–તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો તેનું શું કારણ હશે? તેમ તેવી અતિતીવ્ર અથવા તીવ્ર મુમુક્ષતા કેઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે? કવચિત્ તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યું નહીં હોય? એ માટે આપ જે લાગે તે લખશે. બીજું મોટું આશ્ચર્યકારક તે એ છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યારપછીને ભેદ કેમ પ્રાપ્ત નથી હતે? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલું જોઈએ તેટલે કેમ વર્ધમાન નથી થતું? એનું જે કંઈ કારણ સમજાતું હોય તે લખશો.” આમ જ્યારે આ કરાળ કાળમાં ભારતમાં આ પરાભક્તિની પ્રાયે શૂન્યતા અને મુમુક્ષુઓમાં પણ દુર્લભતા દેખાય છે, ત્યારે શ્રીમદૂની પરમાત્મામાં પરાભક્તિની આવી લય ખરેખર! પરમ આશ્ચર્યકારક છે!
અને આગળ જતાં–વધતી દશા થતાં તો શ્રીમદની આ પરમાત્મલય ઉત્તરોત્તર વધતી જ ગઈ અને એમની પરાભક્તિ પરાકાષ્ટાને પામી ગઈ. તેનું આત્મસંવેદન દાખવતાં શ્રીમદ્ ૧૯૪૭ વૈ. વદ ૮ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૪૭) લખે છે-“હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું. * * * એ પૂર્ણ કામતા કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. જે રસ જગત્નું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિપ્રત્યે અતિશય લય થઈ છે. ૪ ૪ ૪ અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે.” આમ પરમ સત્ય પરમાત્મચરણે જેણે સર્વાર્પણ કર્યું છે એવા શ્રીમદ્ પત્રાંક ૩૦૨-૩૦૭માં સૌભાગ્યને લખે છે–“ર્જ પર વી—િ
એવું જે પરમ સત્યે તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવને સર્વ સમપર્ણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મ ૩૫ પરમ સત્યે તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હાય છે. આમ સર્વાર્પણ કરી તે પરમ સત્યનું તન્મય ધ્યાન કરતાં શ્રીમદને છેવટે આ પરાભક્તિની પૂર્ણ લય પ્રાપ્ત થઈ છે અને ત્યારે આ હું અને આ પરમાત્મા એ ભેદરૂપ વિકલ્પ પણ સર્વથા લય પામી ગયું છે, અને પરમાત્મા તે હું હું તે પરમાત્મા–પરના પાક, ચો સ પરમતતઃ એ પરમ નિર્વિકલ્પ સહજ સમાધિરૂપ અભેદભાવ પ્રગટ થયો છે. આ પરમ અભેદભાવ શ્રીમને (ઘણું કરી) ૧૯૪૮ના માગ. શુદ ૬ના દિને થ છે, એમ તેમના પત્રો પરથી સિદ્ધ થાય છે. ૧૯૪૮ના હૈ. વદ ૬ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૬૮) શ્રીમદ્દ લખે છે–
“અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વતીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને