________________
પરાભક્તિની પરાકાષ્ઠા
૩૫૩ અત્ર–મુંબઈમાં સત્સંગ મળતો નથી અને વસવું. વિકટ–વસમું આકરું લાગે એવા વિકટ ઉપાધિમય વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ-પ્રભુઇચ્છાએ હર્યકર્યાની વૃત્તિ છે
–જેમ પ્રભુ ચલાવે તેમ પ્રારબ્ધોદયાધીનપણે ચાલવું છે–હરવું ફરવું છે એવી વાર્તાના છે, એટલે કંઈ ખેદ તે નથી; પણ ભેદને–અંતરમાં પ્રાપ્ત થયેલ ગુપ્ત રહસ્યભૂત વાતના ભેદને-મર્મને-રહસ્યને પ્રકાશ કરી શકાતો નથી,–તે પ્રકાશ કરી શકાય એવું કેઈ સ્થળ-પાત્ર નથી,-એ ચિંતના-ચિંતા નિરંતર રહ્યા કરે છે. છેવટે ઉપસંહાર કરતાં ભક્તિમાર્ગની ઉત્કૃષ્ટતા અંગે શ્રીમદ્ પિતાને દઢ નિશ્ચય પ્રકાશે છે... ઘણા ઘણું પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરિ માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપે રહીને થાય તે ક્ષણવારમાં મિક્ષ કરી દે તેવો પદાર્થ છે.” આમ આજના દિને પિતાને અનુપમ પરાભક્તિ ઉદય પામી છે તેના પરમ આનંદઉલાસમાં શ્રીમદે પોતાનું આત્મસંવેદન પરમાર્થ સુહદ સૌભાગ્યને અત્રપત્રમાં દર્શાવ્યું છે.
આ પરાભક્તિની નિરંતર પૂર્ણ લયમાં બાહ્ય સંગરૂપ ઉપાધિ કંઈક અંતરાય કરે છે તેથી જોઈએ તેવી એકતાર તન્મયતા નથી રહેતી તેને ખેદ દર્શાવતાં શ્રીમદ સૌભાગ્યને ૧૯૪૭ના માહ શુદમાં લખેલા પત્રમાં (અ. ૨૧૭) પોતાનું આત્મસંવેદન દાખવે છે–પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કર
ગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી, અને એકતાર નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જો કે વિરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી, કદાપિ સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ” “વનમાં જઈએ એમ થઈ આવે છે. આપને નિરંતર સત્સંગ હોય તે અમને ઘર પણ વનવાસ જ છે.” અસંગ વનવાસની કેવી ઉત્કંઠા! પ્રેમભક્તિની પૂર્ણ લયની કેવી તમન્ના!
પૂર્ણ સ્વરૂપ પરમાત્મામાં પરાભક્તિની અતિશય લય પામેલા શ્રીમદ્ આ કાળમાં ભારતમાં આ પરાભક્તિની પ્રાયે શૂન્યતા અને મુમુક્ષુઓમાં પણ દુર્લભતા અંગે પિતાને અંતરંગ ખેદ વ્યક્ત કરતાં ૧૯૪૭ વિ. શુ. ૧૪ના દિને લખેલા સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૨૪૬) લખે છે –“પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયું છે. માયા મેહ સર્વત્ર ભળાય છે. કવચિત્ મુમુક્ષુ જોઈએ છીએ, તથાપિ મતમતાંતરાદિકના કારણથી તેમને પણ જે થે દુર્લભ થાય છે.” આ પછી ૧૯૪૭ના વિ. વદ ૮ના દિને લખેલા પત્રમાં (સં. ૨૪૭) આ જ ભાવ દર્શાવી શ્રીમદ્દ સૌભાગ્યને વિચાર જાગૃતિ પ્રેરે અ-૪૫