________________
ઉપર
અધ્યાત્મ રાજચંદ્ર ત્યે, હાંરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા ગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા
ગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરે; ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરે; અને જે તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છે તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કેઈ બ્રાહક થાઓ, અચળ પ્રેમે કઈ બાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ.” આમ પરમ અદ્ભુત પરમાર્થઘટના કરી શ્રીમદ્દ ઓર રહસ્ય સ્પષ્ટીકરણ કરે છે–“મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાને અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જે મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે.” આમ પરમ પરમાર્થગ્રાહી અલૌકિક દષ્ટિથી એક લૌકિક સામાન્ય કથાપ્રસંગની આવી અદ્ભુત પરમાર્થઘટના ઘટાવી ગુણદષ્ટિ ગુણગ્રાહી શ્રીમદ્ કહે છે—એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થળ કરીને વ્યાસજીએ અદ્દભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે.” ભાગવતની કથા કરનારા ને સાંભળનારા લાખો લોકે હશે, પણ પ્રાયે તેમની કલ્પનામાં પણ ભાગ્યે જ આવે એ પરમ અદ્દભુત પરમાર્થ શ્રીમદે અત્રે ઘટાવી આપ્યો છે. આ પરમાર્થ પિતાને ક્યારે કેમ સમજાયે તે શ્રીમદ દર્શાવે છેઅને તે (અ) મને ઘણુ કાળ થયા પહેલાં સમજાયું છે.” મને–આ રાજચંદ્રને, અમને–રાજચંદ્રના આ આત્માને ઘણા વખત પહેલાં સમજાયું છે. તે પછી આજે કેમ સ્મરણમાં આવ્યું?—-“આજે અતિ અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવપ્રાપ્તિ છે, અને એને લીધે આજની પરમ અદ્દભુત દશા છે. અર્થાત્ પિતાના આત્માને આત્મા–પરમાત્માના અભેદરૂપ આ પરાભકિતની પરાકાષ્ઠા સાક્ષાત્ અનુભવસિદ્ધ છે. એટલે આજની પરમ અદ્દભુત પરમ આત્મદશા અમે અનુભવીએ છીએ. એટલે વળી એર માર્મિકપણે લખે છે–“એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલેક વખત વળી અતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે.”–ભગવાન અંતર્ધાન થઈ ગયા એવી લૌકિક કથામાં વાત આવે છે, તેને કેવા અલૌકિક અર્થમાં અત્ર પ્રયોગ કરી શ્રીમદે પિતાની આ અદ્ભુત આત્મદશાની કેવી અલૌકિક આત્મમસ્તી દાખવી છે ! રખેને તે અંતર્ધાન ન થઈ જાય તે માટે શું ?–અમાટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. અર્થાત્ સૌભાગ્યના સત્સંગને શ્રીમદ્દ અસંગતા કરતાં પણ વધારે પ્રિય ગણે છે, કારણ કે તે અસંગતા સાથે સત્સંગના પણ છે.
પછી પત્રાંત અત્ર સત્સંગના અભાવને ખેદ દર્શાવે છે—સત્સંગની અત્ર ખામી છે. અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હર્યાફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તે નથી, પણ ભેદને પ્રકાશ કરી શકાતું નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે.”