________________
કેવલ શુદ્ધાત્માનુભવદશા
૩૪૯ લખે છે-“જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે. તે જ “પિયુ પિયુ પિોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. આવા આ કેવલ એક શુદ્ધ આત્મારૂપ પરંબ્રહ્મરસના ભોગીઅનુભવાસ્વાદ કરનારા ગીશ્વર શ્રીમદ્દ તેના પરમ અદ્દભુત આનંદની ખુમારીમાં તેમની હાથધમાં (૧, ૨૦) આ અનુભદ્દગાર કાઢે છે–
કેઈ બ્રહ્મરસના ભોગી, કેઈ બ્રહ્મરસના ભેગી; જાણે કઈ વીરલા થેગી, કેઈ બ્રહ્મરસના ભેગી.’
પ્રકરણ સત્તાવનામું
પરાભક્તિની પરાકાષ્ઠા કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે, એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.”– શ્રીમદ્ રાજચંદ્ર
હસતાં રમતાં પ્રગટ હરિ દેખતા-સાક્ષાત્ પરમાત્મદર્શન કરતા શ્રીમદને–“સને નિરંતર અભેદભાવે સ્મરણ કરતા શ્રીમને પરમાર્થથી પરાભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ, એ અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત (fact, reality) છે. તે પરમ “સને ગમેતે નામે ઓળખવામાં આવે પણ પરમાર્થ થી તેને સ્વરૂપમાં કંઈ ભેદ નથી. “શબ્દભેદ ઝગડો કિડ્યોછ? જે પરમારથ એક; કહે ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફિર નહિં છે.' શ્રીમદ નિરંતર તે શુદ્ધ આત્મતત્વરૂપ–પરમાત્મતત્ત્વરૂપ પરમ સત્ની જ નિરંતર અભેદભાવરૂપ પરમ નિશ્ચયભક્તિ કરી રહ્યા છે. તે સત અને આ હું એવો ભેદ એમના મનમાં વસતો જ નથી, પણ સંત તે હું ને હું તે સત્—હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું એવો સર્વથા અભેદભાવ જ શ્રીમદને વર્તે છે એ જ એમની પરાભક્તિની પરાકાષ્ટા છે અને એ જ એમનું તથારૂપ ગુણનિષ્પન્નપણે ભક્તમાંથી ભગવાન થવાપણું છે. શ્રીમદ્ વારંવાર હરિ નિરંજન સત્ પરબ્રહ્મ આદિ શબ્દોનો
" यः परात्मा स एवाहं, योऽह स परमस्ततः । अहमेव मयोपास्यो, नान्यः कश्चिदिति स्थितिः ॥"
–શ્રી પૂજ્ય પાદ સ્વામીકૃત સમાધિશતક “सदाशिवः परब्रह्म सिद्धात्मा तथातेति च ।। શબૈટુર તેડવમેવૈવામિ ” શ્રી હરિભદ્રાચાર્યકૃત યોગદષ્ટિસમુચ્ચય