________________
કેવલ શુદ્ધાત્માનુભવદશા
૩૪૭ નિરુપાયતા છે. એટલે જ આ નિર્વિકલ્પ સમાધિમય જીવન્મુક્ત કેવલશુદ્ધાત્માનુભૂતિદશાના પરમ આત્માનંદની અલૌકિક મસ્તીમાં-અદ્ભુત ખુમારીમાં શ્રીમદ્ પિતાને હૃદયજ્ઞ આ પરમાર્થસુદ્ધને લખે છે –“(કંઈ) મુક્તિ એ નથી જોઈતી, અને જેનનું કેવળજ્ઞાને જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે ? આવે તે આશ્ચર્ય પામોનહીં તે અહીંથી તે કઈ રીતે કંઈ યે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.'—જીવન્મુક્ત કેવલશુધ્ધાત્માનુભૂતિદશા અમને અનુભવસિદ્ધપણે સાક્ષાત્ અનુભવમાં આવી રહી છે, તો પછી આ કાળમાં હો ન હો તે પણ મુક્તિની પણ અમને સ્પૃહા રહી નથી, આ કાળમાં હો ન હો તો પણ જૈનના કેવળજ્ઞાનની પણ અમને સ્પૃહા રહી નથી. આવા પરમ નિઃસ્પૃહ “તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ?” એ વચન પરથી સૂચવ્યું છે કે અમે પરમપદરૂપ કેવલ એક શુદ્ધ આત્માનો સાક્ષાત્ અનુભવ કરી રહ્યા છીએ, અનુભવસિદ્ધ સ્વરૂપ પ્રતિષ્ઠિત કેવલ એક શુદ્ધાત્માનુભવ પદમાં સ્થિત છીએ. અને અમને તો નિશ્ચયે કરીને મુખ્ય એવા આ કેવલ આત્માના સંવેદનથી–અનુભવનથી પૂર્ણ સંતોષ છે, એટલે તેવી કઈ પણ પૃહારૂપ આકાંક્ષા અમને નથી, અમે સ્વરૂપનિશ્ચલ થઈને જ રહીએ છીએ. અત્રે–નિયમસારમાં જ કહ્યું છે તેમ–લોકાલોકજ્ઞાયક કેવલજ્ઞાની ભગવાન પણ નિશ્ચયથી તો આત્માને જ જાણે છે-સંવેદે છે–સંચેતે છે, ત્યવહારથી કાલેકને જાણે છે, અને પ્રવચનસાર ગાથા ૩૩-૩૪ની જ ટીકામાં કહ્યું છે તેમ-આત્મસંચેતનઆત્માનુભવનની બા. માં તો શ્રુતકેવલી અને કેવલીના જ્ઞાનનું પણ સમાનપણું છે? (અને નિશ્ચયથી તે આત્મસંચેતન–આત્માનુભવન એ જ મુખ્ય છે), એટલે વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થયું, અમે તો સ્વરૂ પનિશ્ચલ થઈને જ અવસ્થિત રહીએ છીએ,અરું વિશેષાંક્ષામે, વનવાવરથી ”—એ અમૃતચંદ્રાચાર્યના અમૃત વચનની મોક્ષમાં પણ નિસ્પૃહ શ્રીમદૂના આ અમૃત વચન વાંચના સહજ સ્મૃતિ થાય છે.
આવા ભાવનું આ અલૌકિક આત્મમસ્તીનું વચન ઉત્કટ ઉન્મનીભાવની કોઈ ધન્ય પળે શ્રીમદ્દના અંતરાત્મામાંથી નિકળી ગયું છે. પ્રથમથી જ જેને માત્ર મોક્ષની ઈચ્છા સિવાય બીજી કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા હતી જ નહિં એવા પરમ મુમુક્ષુ શ્રીમદને જીવન્મુકત દશા થતાં-અખંડ સ્વરૂપ રમણતા અનુભવાતાં મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ હતી. “મુક્તિ સંસાર બેઉ સમ ગણે” એમ આનંદઘનજીએ ગાયેલી પરમ સમદશા–શુદ્ધ સ્વરૂપવિશ્રાંત પરમ શાંત દશા શ્રીમદને પ્રાપ્ત હતી.
આમ પરમ શુદ્ધ સત્ આત્મસ્વરૂપને પામેલા પરમ જ્ઞાની શ્રીમદ્ પરમ નિસ્પૃહપરમ નિષ્કામ થયા છે–સર્વ કામના જ્યાં પૂર્ણવિરામ પામી છે એવા પરમ કૃતકૃત્ય થયા છે. કારણ કે જ્યારથી ચેતન પોતે વિભાવથી ઉલટે થઈ-વિમુખ થઈ, સમય પામી પોતાનો સ્વભાવ પ્રહણ કરી લીધો છે, ત્યારથી જ જે જે લેવા ચોગ્ય હતું તે તે સર્વ તેણે લઈ લીધું છે, અને જે જે ત્યાગ યોગ્ય હતું તે તે સર્વ છોડી દીધું છે. એટલે તેને હવે કંઈ લેવાનું રહ્યું નથી જ કે મૂકવાનું બીજું કાંઈ રહ્યું નથી, તે હવે