________________
૩૪૧
શ્રીમદના જીવન્મુક્તદશાનો અમૃતાનુભવ અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, “વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે.” (નં. ૩૪૭). “મૂર્તિમાન મોક્ષ તે પુરુષ છે.” (અં. ૨૪૯) “વાસ્તવ્ય ત એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે, દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખદુઃખ હર્ષશેકાદિને વિષે અપ્રતિબદ્ધ છે.” (અં. ૩૭૭). જ્ઞાની આવા મુક્તસ્વરૂપ હોય છે, પણ પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીનું માપ કરનારા–પિતાને કાટલે જ્ઞાનીને જોખનારા મૂઢ અજ્ઞાની જનેને જ્ઞાનીની આ મુક્તદશાને ખ્યાલ પણ આવો દુષ્કર છે, એટલે જ તેઓ જ્ઞાનીને ઓળખી શકતા નથી. આ અંગે સૌભાગ્ય પરના ૧૯૪૮ અસાડના પત્રમાં (અં. ૩૮૫) શ્રીમદનું સંકેલ્કીર્ણ વચન છે કે-“સૂર્ય ઉદય-અસ્તરહિત છે, માત્ર લોકેને ચક્ષુમર્યાદાથી બહાર વતે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદય અસ્ત નથી. તેમ જ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકેનું જ્ઞાન નથી, એટલે પિતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કલપે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતેષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી. એમ જાણવા યોગ્ય છે.” ઈ.
આ જીવન્મુક્તદશાની પરાકાષ્ઠા શ્રીમદૂને ૧૯૪૮ના માગસર સુદ ૬ના દિને થઈ. એની સાબિતી તેમના જ આ પત્રોમાં પ્રાપ્ત થાય છે: (૧) ૧૯૪૮ના વિશાખ વદ ૬ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૬૮) લખે છે-“મોક્ષ તે કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચૈિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે ક્યાંય કહ્યું જતું નથી. ઘણું માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” (૨) આ પછી ૧૯૪૮ના શ્રાવણ વદમાં સૌભાગ્ય પર લખેલા પત્રમાં (અં. ૪૦૦) શ્રીમદ્દ લખે છેચિત્તને વિષે જેવું આ ઉપાધિગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વતે છે, તેવું મુકતપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. એવી નિશ્ચળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વતી આવી છે. આ જ પત્રના મથાળે શ્રીમદે આ આત્માનુભવસિદ્ધ પરમ ભાવપૂર્ણ વચન લખ્યું છે- તે પુરુષ નમન કરવા ગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા ગ્ય છે, ફરીફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાન કરવા
ગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈપણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. અને શ્રીમદ્દ તે ખરેખર ! આવા પરમ નમન કરવા યોગ્ય, પરમ કીર્તન કરવા ગ્ય, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે બાવન કરવા ચગ્ય એવા સર્વત્ર અપ્રતિબદ્ધ પરમ જીવન્મુકત થયા છે, એમ કોણ નહિં કહે ?