________________
૩
અધ્યાત્મ રાજર્ષક
આ પરમ અમૃતમય સાક્ષાત્ જીવન્મુક્તદશાના પરમ આનંદની ખુમારીમાં– અલૌકિક મસ્તીમાં શ્રીમદ્દ પરમાર્થ સહદુ સોભાગ્યને ૧૯૪૭ના માગ. શુદ ૪ના દિને લખેલા પત્રમાં (. ૧૮૦) લખે છે –“રામ રામ ખુમારી ચડશે, અમરવરમય જ આત્મદષ્ટિ થઈ જશે, તેહિ તેહિ મનન કરવાને પણ અવકાશ નહિં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે.” એમ માર્મિકપણે લખી પોતાને તો તેવી જ દશા વર્તી રહી છે,–રમ રોમ ખુમારી ચડી છે, “અમરવરમય’–પરમ અમર અમૃત આત્મમય જ આત્મદષ્ટિ થઈ ગઈ છે, તુંહિ તેહિ મનન કરવાને પણ અવકાશ રહ્યો નથી, “અમરવરના–પરમ અમર–પરમ અમૃત આત્માના આનંદને અનુભવ થઈ રહ્યો છે,-એમ દર્શાવતાં શ્રીમદ્ આત્માના મુક્ત આનંદની પરમ અદ્દભુત ખુમારીથી લખે છે– અત્ર એ જ દશા છે. રામ હૈદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે, સુરતિ ઇત્યાદિક હસ્યાં છે.”—નિજ પદ રમે રામ સો કહિયે–એવા પિતે પોતાના પદમાં રમણ કરનારા–આત્મામાં આરામ કરનારા આત્મારામ “રામ” હૃદયમાં વસ્યા છે, રામપરમાત્માએ અમારા હૃદયમાં વાસ કર્યો છે અને અમે આત્મારામી થયા છીએ, તેની આડે જે “અનાદિના” આવરણ હતાં તે “ખસ્યાં છે”—ખસી ગયાં છે-દૂર થયાં છે, એટલે મેહના આવરણથી રહિત એવો આત્મારામ રામ પ્રગટ સાક્ષાત અનુભવીએ છીએ; અને તેના સાક્ષાત્ અનુભવ-દર્શનથી “સુરતિ-મુખ ઈત્યાદિક “હસ્યાં છેહસી રહ્યાં છે, હર્ષોલ્લાસથી પ્રસન્ન થયાં છે, અંગે અંગ આનંદઉછરંગથી રોમાંચિત બની હર્ષોલ્લાસની પ્રફુલ્લિતતા દર્શાવી રહ્યાં છે! આમ “રામ હદે વસ્યા છે, ઈ.-“આ પણ એક વાક્યની વેઠ કરી છે,’–આત્માના પરમઆનંદઉલ્લાસની વસ્તી રહેલી આ અલૌકિક ખુમારી– ‘ઉતરે ન કબહુ ખુમારી' ક્યારેય ઉતરે નહિં એવી છે, તે વાણીદ્વારા કહી શકાય એવી નથી, અવાચ્ય છે, છતાં આ આનંદને યથાર્થ પણે જણાવી શકે એવા બીજા કેઈ શબ્દો ન જડવાથી આ જેવા જડયા તેવા શબ્દોના આ એક વાક્યમાં તે જણાવવાની “વેઠ કરી છે. પછી માર્મિક વાક્ય લખે છે –“હમણ તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જૂદ થાય છે.—આ સંસારપ્રસંગથી અને બાહ્ય સંગપ્રસંગથી ભાગી છૂટવાની–પલાયન કરી જવાની વૃત્તિ છે. જેમ કેઈ ભયસ્થાનથી મૂઠીઓ વાળીને જેમ બને તેમ જલદી ભાગી છૂટવાને જ ઈચછે, તેમ આ મહાભયસ્થાનરૂપ બાહ્ય સંસારપ્રસંગથી જેમ બને તેમ જલદીથી ભાગી છૂટવાને જ ઈચ્છીએ છીએ, કે જેથી આ અમૃતમય આત્માનંદના અભંગ રંગમાં લેશ પણ ભંગ પડે નહિં. આમ પરમ અમૃતમયજીવન્મુક્ત દશાના દિવ્ય આનંદની અલોકિક ખુમારીમાં દિવ્ય દેષ્ટા શ્રીમદે આ અમૃતાનુભવઉદ્દગાર પોતાના પરમાર્થ સુદ સૌભાગ્ય પ્રત્યેને આ આ અમૃત પત્રમાં કાઢયા છે.
આ તે જીવન્મુક્તિની વાત થઈ, પણ મુક્તિનું શું? આ કાળે મોક્ષ હોય કે ન હોય? એ પ્રશ્ન ઘણુ મુમુક્ષુઓને મુંઝવે છે; સૌભાગ્ય જેવા મહામુમુક્ષુને પણ એ પ્રશ્ન મુંઝવતો હશે. કારણ કે જૈનની વર્તમાન પ્રરૂપણામાં કવચિત્ તેવું વિધાન છે,