________________
૩૩૮
અધ્યાત્મ રાજય નામની “ધની”—વનિ “ગગનમાં— વિકલ્પશૂન્ય નિર્વિકલ્પ ચિદાકાશમાં લાગી રહી છે, તેમાં હારું મન મગ્ન થઈ ગયું છે, એટલે ત્યાં જ આસન “મારી–લગાવી, તેની સન્મુખ જ “સુરત”—મુખ દઢ-સ્થિરધારી, મેં “અગમ'ના–અગમ્ય આત્માના ઘરે “ડેરા”તંબૂ નાંખ્યા છે,-ધામા નાંખ્યા છે, અને અલખના દીદાર દીઠા છે–એવી પિતાની અલૌકિક આત્મદશાનું સૂચન કરતું આ પદ (અ. ૧૮૯) અલખની ધૂનમાં ને ધૂનમાં આ અલખ નિરંજન રાજચંદ્ર પિતાના પરમાર્થ સખા સૌભાગ્યને ૧૯૪૭ના પોષ સુદ ૫ ના દિને લખી મોકલ્યું હતું
અલખ નામ ધૂની લગી ગગનમેં, મગન ભયા મન મેરાજી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરાજી.
દરશ્યા અલખ દીદારાજ.” આવી અલૌકિક અલખ લય તો જેને દેહાભિમાન ગળી ગયું હોય અને પરમાત્મજ્ઞાન–પરમ આત્મજ્ઞાન મળી ગયું હોય તે જ કરવા સમર્થ થઈ શકે. સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૨૨૩) શ્રીમદ્ દશ્યવિવેકનું શંકરાચાર્યનું વચન ટાંકી લખે છે– મિમીને જસ્ટિ, વિઘરે ઘરમારના ઘર પત્ર મન જાતિ, તત્ર તત્ર સમાધાઃ ”—કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.–દેહાભિમાનત્યાગી પરમાત્મષ્ટા શ્રીમદ્દને દેહાભિમાન સર્વથા ગલિત થયું છે અને પરમાત્મજ્ઞાન થયું છે, એટલે જ એમને સહજ સમાધિ આવી સહજ સ્વભાવભૂત બની ગઈ. દેહ તે હું એમ દેહને અહં નષ્ટ થઈ શ્રીમદને આત્મા તે હું એમ આત્માને અહં અત્યંત સ્પષ્ટ થયો છે, એટલે જ આ રાજચંદ્ર” નામધારી તે હું નહિં–હું તો અનામી આત્મા, એવી અખંડ આત્મભાવના શ્રીમદે એટલી બધી આત્યંતિકપણે ભાવન કરી કે તેમનો આત્મા સહજ સ્વભાવે સહજ સમાધિમાં લીન થઈ ગયે; અને એટલે જ સહજ-નિઃપ્રયાસપણે શુદ્ધ આત્મસ્વરૂપમાં સમાઈ જવારૂપ સહજસમાધિભાવને લીધે “સહજાન્મસ્વરૂપસ્વામી” એ શ્રીમદ્દનું ગુણનિષ્પન્ન નામ પડી ગયું . ખરેખર ! યથાર્થનામા “સહજાન્મસ્વરૂપ
સ્વામી શ્રીમદે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે...' એ પોતાના પરમ પ્રિય જીવનમંત્રની એટલી બધી આત્યંતિક આત્મભાવના કરી છે કે જગતમાં પ્રાયે તેની જોડી જડવી દુર્લભ છે. કેટલાક પત્રોને અંતે શ્રીમદે પોતાના નામને બદલે “સમાધિ” અથવા “સહજ સમાધિ’ એમ સહી કરેલ છે, તે સૂચવે છે કે શ્રીમદને દિવ્ય આત્મા એ સહજ સમાધિમય બની ગયો હતો કે સહજ સમાધિ અને શ્રીમદ્દ એ બન્ને પર્યાયશબ્દો બની ગયા !