________________
શ્રીમદ્દ્ની નિર્વિકલ્પ સમાધિ
૩૩૭
વિવેચક્ષુ, ઉપાધિની જવાલામાં પણ શીતલ સમાધિ જાળવવાનું આ વિકટમાં વિકટ પરમ આશ્ચય કારી આત્મપરાક્રમ પર્મ જ્ઞાની શ્રીમદ્દે અનુભવસિદ્ધ કરી દેખાડ્યુ હતું તેના સાક્ષી આ તેમના અમૃત વચન છે—
ચેાતરમ્ ઉપાધિની વાલા પ્રજવલતી હોય, તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તેા પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્ત્યા જ કરે છે, એવા અનુભવ છે.’ (પત્રાંક ૩૨૪). અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વષૅ થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઇએ છીએ.X X એક અવિકલ્પ સમાધિ સિવાય બીજુ ખરી રીતે સ્મરણ રહેતું નથી.' (અ. ૩૨૯) ‘પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. (અ. ૨૩૮) ‘સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે.’ (અ. ૨૪૩) ‘અત્રે ભાવસમાધિ છે.' (અં. ૩૩૬) ‘સર્વાં પ્રકારે સમાધિ છે.' (અ. ૧૮૮). બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે.' (અ. ૨૯૧). બ્રહ્મસમાધિ.' (અ. ૩૦૬) · શ્રીસહજ સમાધિ.' (અ. ૩૦૮) ‘ પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે.' (અ. ૩૨૩) ઇત્યાદિ,
C આત્મા
'
ને
"
આમ ધ્યાતા ધ્યાન ને ધ્યેયના, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયને, દન જ્ઞાન ને ચારિત્રને નિવિકલ્પ સમાધિમાં જેને અભેદ થયા છે,− નિવિલ્પ સુસમાધિમે હા ત્રિગુણ ભયે હે અભે’એવા શ્રીમની આ પરમ અદ્ભુત નિર્વિલ્પ સમાધિનું રહસ્યકારણુ એમના દિવ્ય આત્માની સ્વરૂપપરિણતિ છે. આ અંગે સૌભાગ્યભાઈ પરના પત્રમાં (અ. ૩૨૨) શ્રીમનું આ ટકાત્કીણુ અમૃતવચન છે— અમને જે નિવિકલ્પ નામની સમાધિ છે, તે તે આત્માની સ્વરૂપપરિણતિ વતી હાવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તેા પ્રાયે નિવિ કલ્પપણુ જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.' આમ આત્માથી અન્ય દેહાદિ ભાવને વિષે જેની પ્રવૃત્તિ જ નથી એવા શ્રીમદ્દને દેહ છતાં આવી અલૌકિક આત્મસમાધિ કેમ ન સભવે ? જેને દેહથી ભિન્ન એવા અલક્ષ અલખ' આત્માના નિવિકલ્પ નિશ્ચયલક્ષ થયા છે, તે ચેાગથી ઉપયાગને જૂદો પાડી દઇ આત્મામાં સમાઇ જાય છે, · સમજ્યા તે શમાયા ’ એ સૂત્રને ચરિતાર્થ કરતે તે અલખ લયમાં લીન થાય છે. એટલે જ અલખ લયમાં લીન થઈ ગયેલા શ્રીમદ્, સૌભાગ્યભાઈ પરના પત્રમાં (અ. ૧૭૬) સ્વાનુભવ આલેખે છે અલખ ‘લે' માં આત્માએ કરી સમાવેશ થયા છે, ચેાગે કરીને કરવા એ એક રટણ છે.’--આત્મા આત્મા ને આત્મા એ અલક્ષ‘અલખ'ની લયમાં આત્માએ કરી સમાવેશ થયા છે, આત્મા આત્મામાં સમાવારૂપ નિર્વિકલ્પ આત્મસમાષિમાં સમાયેા છે, બાહ્ય ચેાગે કરીને સમાવેશ કરવા એ એક રટણ–અજપાજાપ છે. અર્થાત્ મન-વચન-કાયાના યાગની બાહ્ય પ્રવૃત્તિ છૂટી આ લયમાં સમાવેશ થવા પામે,બાહ્ય ઉપાધિ છૂટી બાહ્ય સમાધિ પણ થાય એ નિરંતર જાપ છે. આવા અલખ ‘લે’માં લીન થઈ ગયેલા અલખ નિર્જન રાજચદ્ર છે ! એટલે જ—તે આ અલખ
:
મ-૪૩