SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ અધ્યાત્મ રાજય વિકલ્પની જાલ જ્યાં વિલીન છે એવા આત્મસ્વભાવને પ્રકાશતા શુદ્ઘનયના અભ્યુદયની અદ્ભુત દશા તે આ રાજચંદ્રને સોળે કળાએ પ્રકાશી છે જ; વિકલ્પજાલથી વ્યુત શાંતચિત્ત આ સ્વરૂપગુપ્ત રાજચંદ્રને અમૃતસિંધુ આત્માના અનુભવામૃતપાનની ધન્ય નિવિકલ્પ સમાધિદશા તેા પ્રગટ પ્રાપ્ત છે જ; પણ અલ્પ પણ માયાનું આવરણ રહેવા પામે નહિ' એવી છેવટની’ નિર્વિકલ્પ સમાધિ પામવી બાકી છે. તે દશા પામવાથી શુ થાય ?— આવી દશા પામવાથી પરમા માટે કરેલા પ્રયત્ન સફળ થાય છે.’ અને એટલે જ શ્રીમદ્ તેવી દશા પામી પછી જ પ્રગટ પરમા મા પ્રકાશવાના પેાતાના દેઢ નિશ્ચય જાહેર કરે છે એવી દશા થયા વિના પ્રગટ માગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માગ કહેવા–પરમાથ' પ્રકાશવા—ત્યાં સુધી નહીં.’અર્થાત્ જ્યાં સુધી તે ઇચ્છિત નિરુપાધિક સમાધિદશા પ્રગટશે નહિ ત્યાં સુધી પ્રગટ પરમા માગ પ્રકાશ નથી કરવેા એવા દૃઢ નિશ્ચય કરી શ્રીમદ્દે અત્રે પેાતાના પર આત્મનિયંત્રણુ મૂકી અદ્ભુત આત્મસયમ દાખવ્યેા છે. આ અંગે વિશેષ વિચાર આગળ ઉપર અલગ પ્રકરણમાં કરશું. તે પછી હવે એ દશાને કેટલી વાર છે? કેટલેા વખત છે? તે સ્પષ્ટ કહે છે—અનેએ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તા પહેાંચી જવાયું છે.’આ રાજચંદ્રના આત્મચદ્રને એ પૂર્ણ સમાધિની સેાળશ કળાએ પ્રકાશવાને હવે કંઇ વધારે વખત નથી. ૮ ૫'દર અંશે ’—પંદર કળાએ તે પહાંચી જવાયું છે, પંદર કળા તા પ્રાપ્ત થઈ ચૂકી છે. તે શી રીતે? નિવિકલ્પતા તેા છે જ,’ -પૂર્ણુ પરમાર્થ પ્રકાશને પામેલા આ રાજચંદ્રને નિવિકલ્પદશા–નિવિકલ્પ સમાધિ તેા છે જ, એ જ પંદર અંશ. ત્યારે કયા અંરા બાકી છે—કઈ કળા બાકી છે? પરંતુ નિવૃત્તિ નથી' એ; આ ત્મચ પ્રત્યે રાહુરૂપ આ ઉદયાધીન બાહ્ય ઉપાધિરૂપ પ્રવૃત્તિ છે એટલે નિવૃત્તિના અભાવ છે, એ જ ‘ છેવટની' નિવિ કલ્પ સમાધિની એક અંશ ન્યૂનતારૂપ ખાકીના અંશ છે. નિવૃત્તિ હાય તે શું થાય? નિવૃત્તિ હાય તા ખીજાના પરમા માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઇએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવા જોઇએ.'—આમ ઉપાધિરૂપ અહિ`ત કારણને લઈ નિવૃત્તિના અભાવે પરઅપેક્ષાએ કિ ંચિત્ ન્યૂનતા છે, પણ શ્રીમદ્નના પેાતાના આત્માના અંતગત કારણને લઇ પૂર્ણ નિવિકલ્પ સમાધિમાં કાંઇ ન્યૂનતા નથી,—સ્વઅપેક્ષાએ તે પૂર્ણતા જ છે. અને આમ ખાહ્ય ઉપાધિ મધ્યે પશુ અદ્ભુત આત્મસમાધિ જાળવવી એ જ ચેાગીશ્વર શ્રીમન્નુ અદ્ભુતાદદ્ભુત' અસા ધારણ આત્મસામ છે—અસાધારણ આત્મસામ યાગ છે. એ આપણે અલગ પ્રકરણમાં * " आत्मस्वभावं परभावभिनमा पूर्णमाद्यंतविमुक्तमेकम् । विलीन संकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोभ्युदेति ॥ य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसंति नित्यं । विकल्पजालच्युतशांतचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥ 3 શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકળશ ૧૦, ૬૯
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy