SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદની નિર્વિકલ્પ સમાધિ અમૃતપત્રમાં (અ’. ૧૭૦) આ અમૃત (Immortal, nectarlike) શબ્દેોમાં સ્વઆત્મદશાપ્રકાશ કરે છે. ૩૩૫ આત્મા જ્ઞાન પામ્યા એ તા નિ:સંશય છે; ગ્રંથિભેદ થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીએએ પણ આ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી માકી છે, જે સુલભ છે. અને તે પામવાના હેતુ પણ એ જ છે કે કાઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલેાકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ માધ કરે નહીં; અવલાકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; ‘તુંહિ તુંહિ' વિના બીજી રના રહે નહીં; માયિક એક પણ ભયના, માહતા, સકલ્પના કે વિકલ્પના અશ રહે નહીં.’ ' પેાતાને આત્મજ્ઞાન થયું છે—ગ્રંથિભેદ થઈ આત્મદર્શન-આત્મસાક્ષાત્કાર થઈ ચૂકયો છે અને તેના સર્વ જ્ઞાનીઓએ સ્વીકાર કર્યો છે, આટલી વસ્તુના સવિસ્તર ઉલ્લેખ ગત પ્રકરણમાં કરાઈ ચૂકયા છે. ત્યારે હવે બાકી શું છે? તે કહે છે હુવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી ખાકી છે, જે સુલભ છે.' અત્રે ‘ છેવટની ’ એમ ખાસ સૂચક શબ્દ કહ્યો તે એમ સૂચવે છે કે નિર્વિકલ્પ સમાધિ તા પ્રાપ્ત છે જ, પણ ‘ છેવટની ' હજી પ્રાપ્ત નથી, પણ તે પણ પ્રાપ્ત કરવી હવે સુલભ છે–સુગમ છે, લીલામાત્રમાં–રમતમાત્રમાં પ્રાપ્ત થાય તેમ છે. જો તમને નિર્વિકલ્પ સમાધિ છે, આત્મામાં સમાહિત થઈ તમે નિર્વિકલ્પ-અભેદ-પરમનિશ્ચયરૂપ અમૃતસિંધુ આત્માના અમૃતાનુભવ કરી રહ્યા છો, તે અમૃતસિંધુમાં નિમજ્જનને પરમાનંદ અનુભવી રહ્યા છો, તેા પછી તે છેવટની’ સમાધિ પામવાના હેતુ શે। છે? તેના ખુલાસા કરે છે– અને તે પામવાના હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલેાકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ ખાધ કરે નહીં; અવલામ્નસુખનું અલ્પ પણું વિસ્મરણ થાય નહીં; તુંહિ તુંહિ વિના ખીજી રટણા રટે નહીં; માયિક એક પણ ભયના, મેાહના, સંકલ્પના કે વિકલ્પના અંશ રહે નહીં.' અર્થાત્ બાહ્ય ઉપાધિને લઈ કંઈક ખાહ્ય ઉપયેાગ વર્તાવવા પડે છે તે કંઈક ખાદ્ય આવરણ કરે છે, અમૃતસાગર આત્માના અવલેાકનસુખમાં કંઈક આંતરાય કરે છે-અંતરાયભૂત થાય છે; આમ ખાદ્ય ઉપાધિરૂપ માયા તે અવલેાકનસુખમાં કિંચિત્ આવરણરૂપ અતરાય કરી છેવટની નિર્વિકલ્પ સમાધિને શકે છે. એટલે તે વટની નિર્વિકલ્પ સમાધિ પામવાનો હેતુ પણ એ જ છે કેઅમૃતસાગર આત્માનું અવલેાકન કરતાં—અવ’-જેમ છે તેમ વસ્તુસ્થિતિ પ્રમાણે લેાકન’– સાક્ષાત્ દર્શીન કરતાં અલ્પ પણ–જરા પણ-ક્ષેશ પણુ ‘ માયાનું ’–બાહ્ય ઉપાધિરૂપ માયાનું આવરણુ ખાધ-અંતરાય કરે નહીં; અવલેાકનસુખનું-આત્મદર્શનસુખનું અલ્પ પણ–જરા પણ વિસ્મરણ થાય નહિં, ‘તુંહિ તુંહિ' વિના બીજી રટના રહે નહિં, એક તુદ્ધિ તુંહિ ’ એ જ રટનાના અજપાજાપ રહ્યા કરે; ‘માયિક-માયા સંબંધી–માયાને લગતા એક પણ ભયના, મેાહના, સંકલ્પને કે વિકલ્પના અંશ રહે નહીં. 6 આને મમ એ છે કે— પરભાવથી ભિન્ન, આપૂર્ણ, આદ્યંત મુક્ત સંકલ્પ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy